SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ : મિથ્યાત્વના પ્રકાર અને અવિરતિનો પ્રભાવ : 101 અવિરતિનું પરિણામ : ૭૦ વિરતિ માટેનો ઉપદેશ : ♦ ‘અકરણનિયમ’નું સ્વરૂપ : ‘અકરણનિયમ’નો પ્રભાવ અને પરિણામ : ♦ અધિકારિના ભેદે ભિન્નતા : ૭ કર્મનો જ વિલાસ : ૭ મિથ્યાત્વના પ્રકારો અને તેના સ્વામી : ♦ મિથ્યાદષ્ટિને સુખના યોગમાં પણ દુ:ખ જ : ♦ મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાન : ♦ અવિરતિનું સ્વરૂપ : ૭ અવિરતિના પ્રકારો : ‘સર્વવિરતિ’ ગુણસ્થાને વિશિષ્ટતા : વિષય : મિથ્યાત્વના પ્રકારો, અવિરતિનું સ્વરૂપ, વિરતિનો ઉપદેશ, અકરણ નિયમ. પૂર્વનાં પ્રવચનોમાં જણાવી ગયા કે, ચક્ષુનો અભાવ એ દ્રવ્ય અંધતા છે અને સદ્વિવેકનો અભાવ એ ભાવાંધતા છે. તેમજ નરકાદિનો અંધકાર તે દ્રવ્ય અંધકાર છે અને મિથ્યાત્વ, અવિરતિ આદિ રૂપ અંધકાર તે ભાવાંધકાર છે. એ ભાવાંધતા અને ભાવાંધકારને દૂર કરવો જરૂરી છે. એ માટે એના પ્રકારોને જાણી લેવા પણ અનિવાર્ય બને છે. માટે જ પ્રસ્તુત પ્રવચનમાં કલિકાલસર્વજ્ઞશ્રીજીના શબ્દોના આધારે એ મિથ્યાત્વના ભેદો દર્શાવી એનું સ્વરૂપ ઓળખાવ્યું છે. મિથ્યાત્વી સંસારના સુખમાં ય દુઃખી હોય જ્યારે સમકિતી એ સુખનો ય સાચો અનુભવ કરી શકે છે. મિથ્યાત્વીનું જ્ઞાન પણ અજ્ઞાનરૂપ કેમ બને ? એ વાત પણ સરસ સમજાવી છે. આગળ જતાં અવિરતિનું સ્વરૂપ, પ્રકારો, પરિણામાદિની વિગતે વાત કરી એથી બચવા વિરતિના ઉપદેશની વાત કરી છે. અંતમાં મિથ્યાત્વના યોગે મોક્ષનાં કારણો કઈ રીતે સંસારસાધક બને ? અને અકરણ નિયમની વાત કરી પ્રવચન સમાપ્ત કર્યું છે. સુવાક્યાતૃત ♦ મિથ્યાદૃષ્ટિ આત્મા સુખી અવસ્થામાં પણ દુઃખી અને જ્ઞાની અવસ્થામાં પણ અજ્ઞાની હોય છે. આ સંસારમાં પણ સુખનો સાચો અનુભવ સમ્યગ્દષ્ટિ આત્મા જ કરી શકે છે. ♦ મિથ્યાદૃષ્ટિ આત્મા, શુદ્ધ સ્યાદ્વાદી બની શકતો જ નથી. સદાને માટે એ પ્રાયઃ એકાંતવાદી જ હોય છે. એ એકાંતવાદ જ એના જ્ઞાનને અજ્ઞાન બનાવે. • મન અને ઈંદ્રિયોને આધીન બની એની જ અનુકૂળતા ખાતર ઉચ્છંખલ બની વ્રતોનો ઉપહાસ કરવો, એ આત્માનો કા૨મી રીતે નાશ કરવાની કારવાઈ છે. ♦ અવિરતિ તરફ સમ્યગ્દષ્ટિ આત્માનો તિરસ્કાર જ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004830
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 06
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy