________________
10:
- - - - ૫ : મિથ્યાત્વનો ઘોર અંધકાર - 99 - -
-
૬૫
પૃથ્વીનું દાન કરવું ? વારંવાર સ્નાન કરવું ? ધુમાડાનું પાન કરવું? પંચાગ્નિથી તપવું ? ચિંડિકા આદિ હિંસક દેવીઓનું તર્પણ કરવું ? તીર્થાન્તારોમાં જઈ જઈને ઝપાપાત ખાવો યતિએ એક ઘરની ભિક્ષા લેવી : ગીત અને વાદ્યમાં મહાન આદર કરવો ઃ શરૂઆતમાં પણ હિસાથી જ સાધ્ય અને પરિણામે પણ હિંસાનું જ સાધન તથા શુદ્ધ ધર્મદષ્ટિને અપોષક એવી વાવો, કૂવાઓ અને તળાવો આદિને વિશેષ પ્રકારે કરાવવાં મંત્રના પ્રયોગથી યશની અંદર પશુઓના સમુદાયને હોમવોઃ આવાં આવાં પ્રાણીઓના મર્દનમાં હેતુભૂત અને શુદ્ધભાવથી રહિત ધર્મો કેટલા કહી શકાય ? અર્થાત્ એવા ધર્મો અનેક છે, એવા પ્રકારના અનેક જે કોઈ ધર્મો છે તે સઘળા જ ધર્મોને; મહામોહના મિથ્યાદર્શન' નામના આ બળવાન મહત્તમે મુગ્ધ લોકમાં પ્રપંચથી
પ્રવર્તાવેલા છે, એમ હે ભદ્રપુરુષ! તારે જાણવા યોગ્ય છે.” અને -
"क्षान्ति मार्दवसन्तोष-शौचार्जवविमुक्तयः ।। तपःसंयमसत्यानि, बह्मचर्यश्शमो दमो ।।१।। अहिंसास्तेयसद्ध्यान-वैराग्यगुरुभक्तयः । अप्रमादः सदैकाऽग्र्य-नैर्ग्रन्थ्यपरतादयः ।।२।। ये चान्ये चित्तनैर्मल्य-कारिणोऽमृतसनिभाः । सद्धर्मा जगदानन्द-हेतवो भवसेतवः ।।३।। तेषामेव प्रकृत्यैव, महामोहमहत्तमः ।
भवेत्प्रच्छादनो लोके, मिथ्यादर्शननामकः ।।४।।" “પોતાના પોલિક સ્વાર્થની ગમે તેવી હાનિ થતી હોય અથવા તો એવા જ કારણે પોતાના ઉપર અનેક પ્રકારની આફતો ઊતરી આવે તે છતાં પણ ક્રોધાયમાન નહિ થવારૂપ ક્ષમા : પોતાની જ મહત્તાને સ્થાપિત કરવા માટે અથવા તો અનેક પ્રકારની અક્કડ બનાવનારી સાધનસામગ્રીનું સ્વામિત્વ હોવા છતાં પણ અક્કડ નહિ બનવારૂપ મૃદુતા ઃ પોલિક પદાર્થોની પ્રાપ્તિનો જે લોભ તેના અભાવરૂપ સંતોષ : મન, વચન અને કાયાને આરંભ આદિ પાપપ્રવૃત્તિથી મલિન નહિ કરતાં નિરારંભ આદિ શુદ્ધ ધર્મના આસેવનથી પવિત્ર થવારૂપ શૌચઃ પૌલિક પદાર્થોની સાધનામાં જે પ્રપંચભરી પ્રવૃત્તિઓ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org