________________
પર
---
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ -
---
1470
હોય તે છઠ્ઠાની વાત કરે ! મારે તો ચોથા આરાની જરૂર છે, કારણ કે મારે તો પાંચમા આરામાં પણ ચોથા આરાની છાયા જોવાની ભાવના છે. કોઈ ગુનેગાર અભવ્ય કે દુર્ભવ્ય હોય તો લાભ ન પણ થાય પણ એમાં ઉપકારની બુદ્ધિવાળાને વાંધો શો ?
પેલો દુઃખી શ્રાવક હાર તો લઈ ગયો પણ હાર કાંઈ ખવાય ! હારના પૈસા લેવા ક્યાં જવા? જેનો હાર તેમને ત્યાં જ જવાનું વિચાર્યું. એને ખાતરી હતી કે મારો સાધર્મી મારી વાત ખુલ્લી નહિ પાડે; બહુ તો ઠપકો દેશે, પણ વાત બીજે નહિ જાય.
વિચારો કે શ્રાવકને શ્રાવકનો વિશ્વાસ કેટલો હોય ? ભયંકર એવી ચોરી પ્રાયઃ અવિશ્વાસથી જન્મે છે. “અમને કોઈ સહાયક નથી' એમ થયું કે પ્રાયઃ ચોરીની વૃત્તિ થાય. દુર્ગુણની ખાણ કઈ છે, એ વિચારો, ઉદારતા રાખવી પડશે.
એક બાદશાહનો દીકરો નીચેથી ભીખ માગતા ભિખારીને જોઈને કહેવા લાગ્યો “ખાજા ખા લે એ સાંભળી એના હજૂરીએ કહ્યું કે ખાજા' તો અહીં છે, એ ભિખારી બિચારો ખાજાં કયાંથી ખાય !' એ જ રીતે ખાવુંપીવું અને પેઢી ચલાવવી, એમાં જ આનંદ માનનારાઓમાં ઉદારતા કયાંથી જન્મે ? પોતાના કયા સાધર્મિક દુઃખી છે એ કદી વિચાર્યું ? સમાજમાં ચાલતી કઈ ધર્મસંસ્થા આપત્તિમાં છે એ કદી જોયું ? પોતાનાં છોકરાંઓ સાથે તો સૌ ખાય છે; મિથ્યાષ્ટિ પણ ખાય છે તેમ તમે પણ ખાઓ તેમાં ઉદારતા શાની ? મને આ પુણ્યયોગે મળ્યું છે પણ હું તો, લક્ષ્મી ચંચળ છે એમ માનું છું અને તમે મારા સાધમ છો એટલે મારામાં તમારો પણ હિસ્સો છે માટે લો ! એવું કદી સાધર્મિકને કહ્યું? સભા : લેવા આવે તોયે નથી આપતા !
એમ છે એથી જ આજની દુર્દશા છે. જો બાર મહિને હજાર રૂપિયાના રસોડાખર્ચવાળો એક સાધર્મિકને જમાડ્યા વગર નહિ જમવાનો નિયમ લે તો એક પણ શ્રાવક પ્રાયઃ ભૂખ્યો ન રહે. બાર મહિને હજાર રૂપિયાના રસોડાખર્ચવાળા એવો નિયમ કરે તો સાધર્મિક ભાવના કેટલી ફૂલે-ફાલે ? પણ એ બધું નથી થતું અને શ્રીમંત કે ગરીબ સૌને ભેગા મળીને બેકારી ને આર્થિક મૂંઝવણની રાડો પાડવી છે એટલે ઉદારતા આવે શી રીતે ? શું પોતાનાં સંતાનને સારું સારું અને મોંધું મોંઘુ લાવી લાવીને હોંશે હોંશે ખવડાવે એટલા માત્રથી એ સાચો સદ્દગૃહસ્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org