________________
૫૦
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭
–
148
થયા છે એમ પણ બને; પણ આજે અમુક અમુક તરફથી જે જાતની જાહેરખબર છપાય છે, તેમ પૂર્વે તેવી જાહેરખબર નહોતી છપાતી. ભવાઈ તો ભાંડ કરે !
શ્રાવકના છોકરાએ દેરાસરમાંથી ચોરી કરી, એની જાહેરખબર છપાવનારા અજ્ઞાની છે. પોતાનો છોકરો ખરાબ કામ કરે, એની જાહેરખબર સગાં માબાપ છપાવે ? સગાં માબાપ હોં ! પૂર્વજન્મના વૈરી હોય, એની વાત જુદી છે. આ ઉપરથી માબાપ એ છોકરાને પંપાળે જ એમ હું નથી કહેતો. સાચાં માબાપે છોકરાના ગુનાને જતો ન જ કરવો જોઈએ. ઘરમાં યોગ્ય લાગે તે બધી જ સજા કરે, થાંભલે બાંધે, આકરી સજા કરે, પણ પાડોશી પણ એ વાત ન જાણે, એ રીતે પ્રાયઃ બધું કરે. તમારાં ઘર તો રૂડારૂપાળાં જ હશે એમ ને ? તમારા ઘરમાં પાપનું નામ જ નહિ હોય એમ ને ? તમારાં છોકરાં પાઈ-પૈસો લેતાં જ નથી એમ ને ? નહિ જ, છતાં પણ જાહેરખબર આપી ? આથી કેટલાક કહેશે કે પાપને છુપાવવા ઉપદેશ આપે છે, પણ એ વાત ખોટી છે અને એવા ખોટા બકવાદને ધ્યાનમાં લેવાતો પણ નથી, હું તો એટલું જ કહું છું કે કહેવાના આશયને સમજો.
સભા : ‘પોલને છુપાવવાનું કહે છે એમ કહેશે !
અજ્ઞાનીઓ ગમે તેમ કહે એની દરકાર કરવી એ પાલવે તેમ નથી. ઘરની પોલ દૂર કરાય પણ ભવાઈ ન કરાય. ભવાઈ તો ભાંડ કરે પણ આપણે તો ન જ કરીએ. જાહેરાત કેવી હોય ?
અઢાર પાપસ્થાનકમાં પડેલી દુનિયા છે, એમાંથી બચવું અને બચાવવું, એ આપણું-પ્રશાસનને પામેલાનું કામ છે. એમાંથી કદાચ પાપના ફણગા પણ ફૂટે તો એને દૂર કરાય, પણ એનો ઘોંઘાટ ન કરાય. બચ્યા એ પુણ્યવાન. ધર્મ પળાય તે પુણ્યોદય અને પડે એ પાપોદય, પણ એ પાપોદયની એવી જાહેરાત ન હોય ! આ જાહેરાતો તો ચડેલાને પાડનારી અને ચડતાને અટકાવનારી છે તેમજ સન્માર્ગને વગોવનારી છે. પુણ્યકાર્યની જાહેરખબર આપો, કે જેની અનુમોદના કરવાથી હજારો તરે. પાપીની કાર્યવાહીની આજની સુધારક રીતે જાહેરખબર આપનાર અનેકને પાપમાર્ગે લઈ જાય છે. એ જાહેરખબર વાંચી કૈક કહે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org