SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ : પાપી પણ પાવન થઈ શકે : • ભોગની ઝંખના એ જ કમનસીબી : ♦ બચાવ ખોટા માટે ન જોઈએ : • ચોર તરણાથી ઢંકાય નહિ ! • શ્રાવકપણું એટલે મુનિપણાની ઉમેદવારી : ♦ એકદમ પમાય તેમાં વાંધો શો ? ♦ પાપી પણ ધર્મને પામે ! ૭ આજની વિચિત્રતા : ભવાઈ તો ભાંડ કરે ! જાહેરાત કેવી હોય ? એક અનુકરણીય દૃષ્ટાંત : ચોથા આરાની છાયા જોઈએ છે, છઠ્ઠાની નહિ ! • સઘળું જ સંભવિત છે : ♦ શિષ્યલોભ પ્રશસ્ત કે અપ્રશસ્ત ? ♦ ઘટાવતાં શીખો ! • શાસનની હયાતીમાં જ હયાતી : ♦ સેવા માટે નિર્દંભ સમર્પણ જોઈએ : ૭ પાત્રનો ત્રાસ એ જ યોગ્યતા : વિષય : પૂર્વાવસ્થાનો પાપી પણ પાપને ત્યાગી ધર્મ જરૂર કરી શકે. ♦ એક સો ને આઠે ગણધ૨૫૬ ? અમારી પાસે ભભૂતિ છે ? પૂર્વજીવનમાં ઘોરાતિઘોર પાપ કર્યાં હોય એવો આત્મા પણ પશ્ચાત્તાપના પાવકમાં પોતાનાં પાપોને બાળી, ફરીથી એ પાપો ન સેવવાના લક્ષ્યપૂર્વક ઉપર ઉપરની કક્ષાના ધર્મની આરાધના જરૂર કરી શકે છે. જો દીક્ષા લેવા માટે ‘પૂર્વમાં પાપ ન જ કર્યું હોય' એ જ લાયકાત મનાય તો તો કોઈ પણ વ્યક્તિ દીક્ષા જ ન લઈ શકે. કારણ કે, દરેક વ્યક્તિના જીવનમાં ક્યાંક ને ક્યાંક કોઈ પણ અંશે-સ્વરૂપે પાપની વિદ્યમાનતા હોવાની જ. અંગ્રેજીમાં પણ કહેવત છે કે - 'Every saint has his past.' દરેક સંતને ભૂતકાળ હોય છે. ભૂતકાળને વાગોળવાથી નહિ પણ વિસરવાથી સંતતા આવે છે. આ વાતની આસપાસ ખૂબ જ સરસ રીતે આ પ્રવચનનો પ્રવાહ વહ્યો છે. શું ૧૦૮ શિષ્યો થાય એ ગણધર થાય ? અને ભભૂતીની ભ્રમજનક વાતોનો ખુલાસો આપી પૂર્ણ કરાયેલ આ પ્રવચનમાં ગોશાળો ને પ્રભુવીર, દેવબોધિ અને કુમારપાળ, હારની ચોરી કરનાર શ્રાવક તેમજ કઠીયારો અને સુધર્માસ્વામીજીનાં દૃષ્ટાંતોનો સંયોજનપૂર્વક ઉપયોગ કરાયો છે. અસ્પૃશ્યતા અંગે પણ અત્રે કેટલીક શાસ્ત્રીય વાતો કરાઈ છે. સુવાક્યાતૃત ૭ શ્રી જિનેશ્વર દેવનો ધર્મ તે ત્યાગ. બચાવ સુધરવા માટે થવો જોઈએ પણ છટકવા માટે ન થવો જોઈએ. ♦ ધર્મ ઉપરના આઘાત સમયે ગ૨મી ન થાય અને આઈસ્ક્રીમ જેવી ઠંડક રહે એ સાચી ઠંડક નથી, પણ એક જાતનો ધૃષ્ટતાભર્યો ઢોંગ છે. ♦ પોતાની જાતને સૌથી ડાહ્યા કહે અને ડાહ્યાપણાનું અભિમાન રાખે એ ડાહ્યા નહિ. • ગાંડા જેનો વિરોધ કરે તેને ડાહ્યાઓએ છોડી દેવું - એવું શ્રી જૈનશાસન નથી કહેતું. પુણ્યકાર્યની જાહેરખબર આપો કે, જેની અનુમોદના કરવાથી હજારો તરે. 98 Jain Education International પાપીની કાર્યવાહીની આજની સુધારક રીતે જાહેરખબર આપનાર અનેકને પાપમાર્ગે લઈ જાય છે. ♦ પ્રભુશાસન એ પતિતોને પણ પાવન કરનારું શાસન છે. પાવન થવાની ભાવનાવાળા પતિતને પટકી દેનારું આ શાસન નથી. ♦ અમારા સમુદાયમાં સાધુ વધો એ ભાવનામાં વાંધો નથી, પણ બીજે ન થાઓ એ ભાવનામાં પાપ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004830
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 06
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy