________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬
શાસનમાં સ્થાન નથી. વર્તમાન વિષયસુખને જ ઉપાદેય માનીને વળગી રહેનારાઓ આત્માની પણ દયા વિસરી ગયા છે અને તેઓ પોતાના આત્માની પણ દયા વિસરે તે બીજાની ભાવદયા શું કરે ? જેને પોતાની ભાવદયા ન આવે એ બીજાની શું કરે ? પાપમાંથી ઝે૨ના ફણગા ફૂટે છે. ‘અમે જે વિષય ભોગવીએ છીએ એ તો ફ૨જ છે, બે-પાંચ લાખ મેળવવા જ જોઈએ, તો જ અમારી પોઝીશન વધે, રાજકાજમાં પ્રવેશવું જ જોઈએ, રાજરિદ્ધિ મેળવવી જ જોઈએ' - આવી આવી માન્યતાના મૂળમાંથી પાપરૂપ કાયદાના ફણગા ફૂટે છે. પોતે વિષયના સંગમાં રહેતાં થરથરે એ બીજાને વિષયના સંગમાં રત રહેવાની સલાહ કેમ આપે ? આજે તો કાયદો થાય છે કે ‘રહેવું જ;’ પણ એ કાયદા કરનારને વિરાગી પૂછે કે ‘તમે કોણ છો ?’ ત્યારે એ શું કહેશે ? ‘અમે શ્રીમાન છીએ.' એમ કહેશો તો તો વિરાગી કહેશે કે ‘તમને અમે નથી માનતા, તમે ભગવાન શ્રી મહાવીરના દીકરા હો તો તમને માનવા તૈયાર છીએ, બાકી તમારી શ્રીમંતાઈની તો અમને કશી જ કિંમત નથી, કારણ કે તમારી શ્રીમંતાઈ કાંઈ અમને અમારે જે જોઈએ છે તે નથી દેવાની માટે તમે મહાવીરને માનો તો અમે તમને માનીએ.’ આવું કહેનારને ઉત્તર તો આપવો જ પડશે ને ? બુદ્ધિપૂર્વક ઉત્તર આપવો જોઈએ કે જેથી આબરૂ ન ગુમાવવી પડે.
૧૮
શ્રી જૈનશાસન સમ્યગ્દષ્ટિ માટે છે, ભવને ખોટો માનનાર માટે છે, સંસારની અસારતા જેને લાગતી હોય એને માટે છે, સંસારથી મુક્ત થવાની ઇચ્છાવાળા માટે છે. નમ્રુત્યુર્ણમાં આવે છે કે “અમયસ્થાનું સરળવાળું” પણ શરણ કોને ? ભવથી ડરે એને. ક્ષત્રિય પણ શરણ કોને આપે ? દુશ્મનથી ડરે એને જ ને ? તમે ભગવાન શ્રી મહાવીરના શરણે કેમ આવ્યા ? એ તારકના શરણ સિવાય બીજે સુખ ન દેખાણું માટે કે બનાવટ કરવા ? જો એના શરણમાં જ આત્મકલ્યાણ લાગે તો એ તારકની આજ્ઞા પાસે તમારા બધા વિચારોને આઘા મૂકવા જ પડે. ભવભીરુ આત્માને જ આ શાસન ગમે, કેમ કે પ્રભુની આજ્ઞામાં તો ખાવા પીવા વગેરે બધી જ પૌદ્ગલિક પ્રવૃત્તિઓ ઉપર અંકુશ આવવાના. અંકુશ વિનાના ગમે તેવા સારા અને મોટા ઘોડા પણ જંગલી કહેવાય, એના ઉપર સવારી ન જ થાય. તેમ શાસ્ત્ર કહે છે કે મન, વચન, કાયાના યોગો પણ સ્વચ્છંદે પ્રવર્તે તો તે જંગલી ઘોડા જેવા છે અને એવા યોગોના સ્વામીને પ્રભુના શાસનમાં સ્થાન નથી. મન, વચન અને કાયાના યોગો એ આત્માના કે આત્મા એ યોગોનો ? એ જ મન, વચન, કાયાના યોગોને
Jain Education International
1436
For Private & Personal Use Only
www.jainelibrary.org