________________
૨૯૬ –
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯
-
18%
તરફ આકર્ષાતો નથી. આત્મા જ્યાં બેઠો છે તે એને ખરાબ સમજાય તો જ પ્રતિપક્ષી વસ્તુ તરફ તેને સદ્ભાવ જાગે અને એ જગાવવાનો આ ઉપકારીનો હેતુ છે. ગર્ભાવસ્થાની વિષમતા :
ગર્ભાવસ્થાની વિષમતા ખરેખર ન વર્ણવી શકાય તેવી છે. નવ મહિના જેટલો સમય અશચિથી ભરેલા ગર્ભવાસમાં ઊંધે મસ્તકે લટક્યા કરવું, અશચિ પદાર્થોનું ભક્ષણ કરવું વગેરે વગેરે કંઈ ઓછી આપત્તિઓ છે? પણ અજ્ઞાન એ એવી વસ્તુ છે કે જેથી એ બધીયે બની ગયેલી અવસ્થાઓ જાણવામાં નથી આવતી? એ અજ્ઞાન જ આત્માને સંસારમાં સ્થિર રાખનાર છે ! જે આત્માઓને સંસારથી છૂટી મુક્તિએ પહોંચવું હોય તે આત્માઓએ, પોતાનું અશાન ન ટળે ત્યાં સુધી અનંતજ્ઞાનીઓની આજ્ઞાને આધીન થવું એ જ હિતાવહ છે. બાલ્યાવસ્થાની અરોચકતા :
જેમ ગર્ભાવસ્થા વિષમ છે તેમ બાલ્યાવસ્થા પણ અરોચક છે. એ અવસ્થા, પાલકના આધારે જ ટકે છે. એ અવસ્થા એવી નાજુક છે કે જેમાં દુઃખ માત્ર અસહ્ય થઈ પડે છે. અજ્ઞાનપણું પણ એ અવસ્થા સાથે સહજ છે. એ અવસ્થા એવી નિર્લજ્જ છે કે એ અવસ્થામાં વિષ્ટા અને મૂત્ર જેવી બીભત્સ વસ્તુઓ સાથે ખેલતાં પણ આત્મા લાજતો નથી. એ અવસ્થામાં આત્મા માતૃમુખ જ બન્યો રહે છે. તરુણાવસ્થાની તિરસ્કૃત દશા :
જેમ બાલ્યાવસ્થામાં આત્મા માતૃમુખ બન્યો રહે છે : તેમ તરુણાવસ્થામાં આત્મા તરુણીમુખ બની જાય છે : એ જ કારણે એ અવસ્થા, એવી તિરસ્કૃત દશા બની જાય છે કે જેનું વર્ણન પણ સભ્ય સમાજમાં શરમજનક નીવડે. બાલ્યાવસ્થામાં આત્મા, પુરીષશ્કર' એટલે વિષ્ટાના ભૂંડ જેવો બને છે : ત્યારે તરુણાવસ્થામાં આત્મા, “મદનગર્દભ' એટલે કામે કરીને ગધેડા જેવો બની જાય છે. એ અવસ્થામાં કામવશ બનેલો આત્મા, પોતાની બધી જ ફરજોને વીસરી જાય છે અને કામચેષ્ટાઓ કરતાં એ આત્મા જરા પણ લાજતો કે શરમાતો નથી. વૃદ્ધાવસ્થાની વિરસતા :
વૃદ્ધાવસ્થામાં આત્મા, બુઢા બેલ જેવો બની જતો હોવાથી એ અવસ્થા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org