________________
૧૯ : માર્ગમાં સ્થિર બની માર્ગરક્ષક બનો !
વિષયાસક્તિનો પ્રભાવ :
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, આ ‘ધૂત' નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્ર દ્વારા પ્રાણીઓને સંસાર ઉ૫૨ નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરી રહ્યા છે. એ સૂત્રનું સમર્થન કરતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ, ચારે ગતિના જીવોનાં દુઃખોનું વર્ણન કર્યું ઃ એમાં, ‘વિકલેંદ્રિય’ એટલે ‘બે ઇંદ્રિયોવાળા, ત્રણ ઇંદ્રિયોવાળા અને ચાર ઇંદ્રિયોવાળા જીવો' : એ જીવોની યોનિ આદિનું વર્ણન કરતાં પણ એ ઉપકારી પરમર્ષિ ફ૨માવી ગયા કે –
" विकलेन्द्रियाणामपि द्वौ द्वौ योनिलक्षी कुलकोट्यस्तु द्वीन्द्रियाणां सप्त त्रीन्द्रियाणामष्टौ चतुरिन्द्रियाणां नव, दुःखं तु क्षुत्पिपासाशीतोष्णादिजनितमनेकधाऽध्यक्षमेव तेषामिति. "
“વિકલેન્દ્રિયોને યોનિ બે બે લાખ હોય છે અને કુલકોટિઓ તો બે ઇંદ્રિયવાળા જીવોને સાત, ત્રણ ઇંદ્રિયોવાળા જીવોને આઠ અને ચાર ઇંદ્રિયોવાળા જીવોને નવ હોય છે : તથા તે જીવોને, ‘ક્ષુધા, પિપાસા, શીત અને ઉષ્ણ આદિથી ઉત્પન્ન થતું દુઃખ તો અનેક પ્રકારનું છે.’ : આ વસ્તુ પ્રત્યક્ષ જ છે.”
આથી સ્પષ્ટ છે કે નરકતિનાં દુ:ખો અને પૃથ્વીકાય આદિ એકેંદ્રિય જીવોનાં દુઃખો આપણને પ્રત્યક્ષ નથી પણ આ વિકલેંદ્રિય જીવોનાં દુ:ખો તો આપણને પ્રત્યક્ષ છે. કર્મના ઉદયથી રિબાતા આવા અનેક જીવોને પ્રત્યક્ષ જોવા છતાં પણ જેઓ પાપની પ્રવૃત્તિથી ન રોકાય તેઓ માટે કહેવાય પણ શું ?
જે આત્માઓ, વિષયાસક્ત બને છે : તે આત્માઓ વિવેકવિકલ બની એકેંદ્રિય જેવા બની જાય છે : એ જ કારણે આ પરોપકારી પરમર્ષિઓ, એવા જીવોની દશાને : વૃક્ષના દૃષ્ટાંતથી સમજાવતાં પણ ફરમાવી ગયા કે -
‘વિષયાસક્ત જીવની દશા ખરેખર વૃક્ષ જેવી હોય છે. જેમ વૃક્ષો શીત આદિ અનેક ઉપદ્રવોને સહન કરવા છતાં પણ પોતાના સ્થાનને તજતાં નથી :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org