________________
૧૭ : બાહ્યત્યાગની મહત્તા : - 111
૨૦૫
વિનાના પ્રદેશમાં મૂકવામાં આવે તો એની વિષયવાસના પ્રાયઃ આપોઆપ બળી જાય છે. ભલે થોડો વખત દુર્ધ્યાન થાય, એને યોગે કર્મબંધ પણ થાય, પણ પરિણામે એ વિષયને ભૂલી જાય છે. બીજું, જેટલી ચીજો ખાવાની તમને ભાવના થાય છે તેટલી ચીજો ખાવાની ઇચ્છા જંગલના ભીલને થાય છે ? કહેવું જ પડશે કે નથી થતી, કારણ કે એને એ વસ્તુઓનો ખ્યાલ જ નથી. તમે તથા એ ભીલ બેય આ ભરતમાં અને તેમાંયે હિન્દુસ્તાનમાં જન્મ્યા છો, તમે પણ માણસ અને એ પણ માણસ છતાં તમને આયંબિલમાં જે ખોરાક મળે છે તે પણ એને નથી મળતો. જાડો રોટલો અને ઝાડેથી તોડેલી વનસ્પતિ એ બે ભેગાં આવે, એવો ખોરાક એ ટેસ્ટથી ખાય. શું તમારી અને એની જીભમાં કંઈ ફેર હશે ? મારી મોટી અને એની નાની હશે ? નહિ જ, એ છતાં પણ ભીલ બજારમાં નીકળે તો પણ એક પણ મીઠાઈ પર એનું મન ન થાય, એ તો સીધો ચાલ્યો જાય, અને તમને તો મોંમાં પાણી છૂટે. એનામાં તો અજ્ઞાન છે, એ અજ્ઞાનની પ્રશંસા નથી કરતો પણ આપણો મુદ્દો એ છે કે જેને દુનિયાના સંયોગો ઓછા એને નિમિત્તો ઓછાં મળે છે, એ કારણથી એને જો કોઈ વાળનાર મળે, અને એ વળે તો તમને પણ પાછા પાડે. એ આત્મા તમારાથી આગળ આવે. એને ખાવાનું છોડાવવામાં મુશ્કેલી નથી, સ્વતઃ અભ્યાસારૂઢ છે. તમને બે વિગઈ છોડાવતાં મુશીબત, પેલાને તો છયે વિગઈનો અભાવ છે, આથી પણ સિદ્ધ છે કે કેવળ અત્યંતરની વાત પકડનારા અજ્ઞાન છે. આંતરગુણની અભિલાષાવાળાએ બાહ્ય ત્યાગ કેળવ્યા વિના છૂટકો જ નથી. પણ પેલો ભીલ છે તેને બાહ્ય સામગ્રી મળી નથી પણ છોડેલી પણ નથી તેને જો આટલો લાભ થઈ શકતો હોય તો આપણે તો સ્વેચ્છાએ છોડવાની વાત કરીએ છીએ તેમાં કેટલો લાભ થાય ? તે વિચારો. મુનિને નિર્દોષ ચીજ મળે તે લેવી એવી આજ્ઞા છે, એ લેવામાં દોષ નથી, છતાં પણ વિવિધ પ્રકારના અભિગ્રહોનું એ મહાપુરુષો માટે પણ વિધાન છે. તપવૃદ્ધિ માટે જાત જાતના અભિગ્રહો કરવાનું વિધાન છે. એ અભિગ્રહો પણ સંયમને શુદ્ધ બનાવવા માટે છે.
1623
બાહ્ય ક્રિયા વિના સસ્તુ પણ શુદ્ધ બનતી નથી. તાંબા પિત્તળના વાસણને કાટ ચડે એ કાઢવા માટે આંબલીથી ઘસવા વગેરેની બાહ્ય ક્રિયા કરવી પડે છે. મેલા વસ્ત્રનો મેલ કાઢવા સાબુ ઘસવો પડે છે એ પણ બાહ્ય ક્રિયા છે ને ! વધારે મેલ હોય તો, વસ્ત્રને જેમ ભઠ્ઠીમાં નાખવું પડે છે તેમ આંતરગુણને પ્રગટ કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org