________________
10) – ૧૩ : સત્યની રક્ષા માટે સક્રિય બનો - 110 – ૧૯૧ કેળવવી જોઈએ. સાચી વિચારશીલતા વિનાના પ્રયત્નો, વિવેકહીન હોવાથી કોઈ પણ પ્રકારે સફળ થઈ શકતા જ નથી. સાચી વિચારશીલતાના અભાવથી જ આત્મિક ઉન્નતિ અશક્ય બની છે. વિચિત્ર વાતોનાં વિશિષ્ટ સમાધાન :
સભા કેટલાક કહે છે કે “આવી વાતોથી તો દરિદ્રતા આવે” – આનું શું?
આવી વાતોથી કદી જ દરિદ્રતા ન આવે. સંતોષનો અભાવ, એ જ સાચી દરિદ્રતા છે ? એ જ કારણે છતી શ્રીમંતાઈએ પણ, સંતોષ વિનાના શ્રીમંતને જરા પણ સુખ નથી : અને વિના શ્રીમંતાઈએ પણ, સંતોષી સુખી છે. વારુ, “સાધન જોઈએ” એનું પણ ધ્યેય શું ? કહેવું જ પડશે કે સુખ. એ જ કારણે દુનિયાનો કોઈ પણ જીવ, દુનિયાના કોઈ પણ પદાર્થને લેવા કે તજવા ઇચ્છે છે તે સુખના જ માટે ઇચ્છે છે એ સ્પષ્ટ છે. વળી એ તો કહો કે “જેને તમે ઉન્નતિનાં સાધન માનો છો એમાંથી એકમાં પણ સુખ આપવાની તાકાત છે ?” સભા: કહેનારા તો એમ પણ કહે છે કે આ રીતે તો જૈનો વેપાર રોજગારથી અને
રાજ્ય પ્રકરણથી અલગ થઈ જશે - નીકળી જશે, માટે વિચારો. આ કથન જ અજ્ઞાનતાથી ભરેલું છે. વિવેકના પ્રતાપે, નીકળી ન જવાય પણ પ્રવેશ થઈ જાય : એ જ કારણે કહેવું જોઈએ કે જૈનો ન નીકળી જાય પણ નમાલા જ નીકળી જાય. જૈનત્વ જાય તો જ બરબાદી છે બાકી તો સદાય આબાદી જ છે. જૈનત્વ એ સામાન્ય વસ્તુ નથી પણ “ખોટી વસ્તુ પર વિજય મેળવવો એનું જ નામ જૈનત્વ છે. જૈન, અર્થકામનો, વિષયલાલસાનો કે રિદ્ધિસિદ્ધિનો ગુલામ ન હોય. એ અધિકાર મેળવવા તનતોડ મહેનત ન કરે. જૈન પાસે તો સઘળી વસ્તુ દાસ થઈને આવે તો પણ ન લે અને કદાચ સ્વીકારે તો પણ એમાં એ ન જ લેપાય. અધિકાર આવે તો પણ એમાંથી કામ કાઢે પણ અધિકારમાં આંધળો ન થાય. બાકી લાલ પીળામાં જ સુખ માનનારા અને એમાં જ બદ્ધાગ્રહી બનવાથી કદાગ્રહી બનેલાઓ તો, સત્ય સાંભળવાને જ તૈયાર નથી હોતા. એ જે કારણે શાસ્ત્રકાર કહે છે કે “કદાગ્રહીને ઉપદેશ કરવો એ કૂતરીના શરીર ઉપર કસૂરીનો લેપ કરવા બરાબર છે. ખરેખર દુરાગ્રહી માટે જ્ઞાનીનાં વચન પણ નકામાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org