________________
૭
–
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ –
–
1424
તમારા છોકરાની સંયમરૂપ મિલકત વધે, એમાં તમે રાજી કે નારાજ ? એમનો ધર્મવ્યાપાર વધે તો ખુશ કે નાખુશ ? એમના સંયમના પ્રચારમાં તમે સહાયક કે વિઘ્ન કરનાર ? આ જેઓને ન સમજાય તેઓ શ્રાવક-શ્રાવિકા કોટિમાં પણ રહેવા લાયક નથી. છઠ્ઠો આરો શું વહેલો લાવવો છે?
શ્રી જિનેશ્વરદેવોએ સંસારની અસારતા વર્ણવી છે તે શા માટે ? એક જ કારણે કે તમે ભોગમાં ફસીને ગબડી ન જાઓ. વિચારો કે એમાં દયા વિના બીજું શું કારણ છે ? એવી દયામય પ્રવૃત્તિ સામે પણ યથેચ્છ બોલનારાઓ શું જૈન કહેવરાવવાને લાયક છે ? શ્રી જૈનસંઘથી એવાઓને સહાય કરાય ? શ્રાવક-શ્રાવિકાની પણ અવગણના ન થાય, એ તો અમને પણ માન્ય જ છે. સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકાની આશાતના ન કરાય, એવું રોજ બે વાર અતિચારની આલોચનામાં અમારે આવે છે. એ અતિચારની બે વાર આલોચના કરવી પડે છે, તો પછી એનું અપમાન કેમ જ કરાય ? પણ વિચારો કે સમ્યક્ત એટલે શું ? સમ્યકત્વ એટલે સુદેવ, સુગુર, સુધર્મને જ હૃદયપૂર્વક માને એ જ ને ? તમે “સુ” જુઓ, તો અમે કેમ ‘કુને ચાલવા દઈએ ? તમે જો કદેવ, ગુરુ અને કુધર્મને સુદેવ, સુગુરુ અને સુધર્મ તરીકે ન સ્વીકારો, તો અમે કુ” શ્રાવકને સુશ્રાવક તરીકે કેમ માની લઈએ ? બાકી સને “સુ' તરીકે માનવામાં તો હરકત કેમ જ હોય ? જેઓ પ્રભુમાર્ગની આરાધનામાં રત છે, તેવા સુશ્રાવકોની સલાહ અને સૂચનાનો અમે જરૂર સ્વીકાર કરીએ, કારણ કે તેવાઓની સલાહ શાસ્ત્રાનુસારિણી જ હોય ! પણ જેઓ સંસારરત હોઈ આવીને કહે કે “મહારાજ ! અમારા વેપારરોજગારની સ્થિતિ જુઓ- તો તો અમારે કહી જ દેવું પડે કે “અમે ઘરબાર અને માબાપ છોડીને ચાલી નીકળ્યા છીએ, તે તમારાં ઘરબાર ચલાવવા માટે નહિ જ પણ એના અખંડ ત્યાગને સેવવા અને પ્રચારવા જ.' હા, અમે જો અમારી એ ફરજ ચૂકીને સાંસારિક પ્રવૃત્તિમાં પડવા માગીએ અને તેમ કરતાં તમે અટકાવો તો જરૂર માનીએ. વળી વધુમાં એ વિચારો કે તમે અહીં આવો એમાં શાસનની પ્રભાવના કે અમે ત્યાં આવીએ એમાં ? પાંચ-પચીસ સાધુ શ્રાવક થાય તો પ્રભાવના કે પાંચ-પચીસ શ્રાવક સાધુ થાય તો પ્રભાવના ? પાંચ-પચીસ કોટ્યાધિપતિ સંયમ લે તો દુનિયા હેરત પામે. તો પછી અમે એવો પ્રયત્ન કરીએ એમાં ગુસ્સો શાનો ? દરિદ્રી, શ્રીમાનને દરિદ્રી બનાવવા ઇચ્છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org