SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ 1697 ૧૫ : ઉન્નતિ અને શાંતિનો સાચો માર્ગ : - 109 Jain Education International M ઉન્નતિના ઉપાયો : આ જ કારણે ઉન્નતિના અર્થી આપણે જે જ્ઞાન આદિ ગુણોથી વિશિષ્ટ હોઈ સ્વયં તરે અને પરને તારવાની જે અભિલાષાવાળા હોય એવા તારકોને જ તારક તરીકે સ્વીકારવા જોઈએ; કારણ કે આપણે કાયમી ઉન્નતિને ઇચ્છીએ છીએ. આજે આવે અને કાલે – ચારેક દિવસે અથવા મહિને કે અમુક વખતે - પાછી ચાલી જાય એવી ઉન્નતિને આપણે નથી ઇચ્છતા. આપણને એકલી કાયમી જ ઉન્નતિ જોઈએ છે એમ જ નથી, પણ આપણને સંપૂર્ણ કાયમી ઉન્નતિ જોઈએ છે પણ અધૂરી નથી જોઈતી. વળી એ કાયમી અને પૂર્ણ એવી પણ ઉન્નતિ અવનતિના અંશ વગરની જોઈએ છે. તો હવે વિચારો કે ‘દુનિયાના કોઈ પણ પદાર્થ દ્વારા આ ઉન્નતિ થાય એમ છે ?' દુનિયાના સંયોગો નિત્ય કે અનિત્ય ? દુનિયાના પદાર્થો રહેવાના કે જવાના ? કદાચિત્ એ ન જાય તો તમારે રહેવાનું કે એને છોડીને જવાનું ? કાં તો મુંબઈ તમને છોડે, કાં તો તમારે મુંબઈને છોડવાનું, પણ છૂટા થવાનું એ વાત તો નક્કી છે ને ? સભા : હૈયામાં રાખીને જઈએ તો ? ‘એ ન રાખે, પોતાથી ન રહી શકાય, તો છેવટ હૈયામાં રાખીએ,’ એમ કહો છો ને ? For Private & Personal Use Only ૧૭૯ સભા : હા સાહેબ ! તો હું કહું છું કે એની જ આ બધી ઉપાધિ છે. અને એ જ કારણે કહેવું પડે છે કે મળેલા દુનિયાના સંયોગો એની મેળે જશે અગર તો એને મૂકીને તમારે ગયા વગર છૂટકો નથી. તો એવા પદાર્થો પાછળ આત્માની તમામ શક્તિ ખર્ચી નાખવી અને આત્મતત્ત્વનો વિચાર જ ન કરવો એના જેવી બીજી એક પણ અજ્ઞાનતા નથી. આવી અજ્ઞાનતાથી બચવા માટે - ‘ઉન્નતિ ક્યાં છે અને શેમાં છે ?' એ સમજવું પડશે. દુનિયાના પદાર્થોમાં ઉન્નતિ કહેતા હો તો આત્મા જ સાક્ષી પૂરે છે કે એમાં ઉન્નતિ અસંભવિત છે. આખી જિંદગીમાં એટલે પાંચપચાસ વરસમાં ધાર્યું મેળવ્યું, ધારી સાહ્યબી પ્રાપ્ત કરી, પણ એથી આત્માને શો લાભ થયો ? દુનિયાનાં સાધનોથી આત્માની ચિંતા ઘટે છે ખરી ? બહારની ઉપાધિથી હૃદયની શાંતિ વધે છે ખરી ? કહેવું જ પડશે કે નહિ જ, શાંતિ વધતી નથી પણ ઊલટી ઘટે છે, કારણ કે એક પેઢીવાળા કરતાં ચાર પેઢીવાળાને, www.jainelibrary.org
SR No.004830
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 06
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy