SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૬ - હિતેષી મહાપુરુષ સુખસાહ્યબીથી દૂર થવાનું અને ઘરબારથી નિરાળા થવાનું ફરમાવે જ શું કામ ? લાંબુ હિત જુએ છે, માટે જ જ્ઞાનીઓ, ઘરબાર વગરના બનવાનું કહે છે. ખાવા કરતાં નહિ ખાવામાં સુખ જુએ છે માટે જ ખાવાનો ત્યાગ કરવાનું એટલે કે તપ કરવાનું કહે છે. 1588 શ્રી તીર્થંક૨દેવે, અનેક રાજકુમારો વગેરેને ભિક્ષુક બનાવ્યા છે એમાં ઊંચી કોટિની દયા સિવાય બીજું કોઈ જ કારણ નથી. એ દયાનું રહસ્ય જે સમજે તે જ સાચો જ્ઞાની અને એવો જ્ઞાની પૌદ્ગલિક સંયોગના ત્યાગમાં તકલીફ જ ન માને. જેને એમાં તકલીફ દેખાય તે વાસ્તવિક રીતે જ્ઞાની નથી. પૌદ્ગલિક સંયોગ છૂટે ત્યારે જ જ્ઞાનીને આનંદ થાય અને ન છૂટે ત્યાં સુધી તો જ્ઞાનીને પીડા થાય. Jain Education International ઘરબાર કુટુંબના પ્રેમમાં તો જ્ઞાનીને ચિંતા થાય અને એ પ્રેમ છૂટવાના સમયે જ્ઞાનીને શાંતિ થાય, ‘હા-આ-શ છૂટ્યો’ એમ થાય. લાકડાની ભારી બે ગાઉથી કોઈ બાઈ કે ભાઈ લાવે અને કોઈ ઉઠાવનાર મળે તો જેમ હા-આ-શ થાય તેમ જ્ઞાનીને એવે પ્રસંગે હા-આ-શ થાય. બાહ્ય સંયોગ ઉપર પ્રેમ એ અજ્ઞાનતાને લઈને છે. એ અજ્ઞાનતા જાય તો બાહ્ય સંયોગ એની મેળે છૂટશે. બહારના સંયોગોને અંગે જે વિકલ્પો થાય છે, તે તમામ સાચા જ્ઞાનની ખામીને લઈને થાય છે. એ ખામી સાધારણ નથી પણ મોટી છે. એ ખામી ટાળવા માટે દયાના સાગર શ્રી જિનેશ્વરદેવોએ ઓછું નથી કર્યું. એ ઉપકારીની એ સઘળી કરણી એ ઊંચી કોટિની દયાનું જ પરિણામ છે. હવે તો ઉધમની જ જરૂર : એ ઊંચી કોટિની દયાના પરિણામરૂપ શાસનની આરાધના માટે ઉઘમ અનિવાર્ય છે. ઉદ્યમ વિના એ શાસનની આરાધના અશક્ય છે. ઉઘમ છતાં પણ આરાધના ન થાય તો અંતરાયના ઉદયને માનવો એ ઠીક છે પણ વિના ઉદ્યમે જ આરાધના ન થાય ને અંતરાયના ઉદયને આગળ કરવો એ ઠીક નથી. ચાર કલાક ગપ્પાં મારનાર અને ઇરાદાપૂર્વક જિનપૂજા તથા સામાયિક આદિ ન કરનાર, અંતરાયના ઉદયને આગળ કરે એ કેમ ચાલે ? કર્મનો ઉદય છે એ વાત ખરી પણ કર્મનો ઉદય કહીને બચાવ કરવાનો એવાઓને અધિકાર નથી. વસ્તુને મેળવવા પ્રયત્ન ન કરવામાં આવે અને અંતરાયના ઉદયને બચાવમાં લાવવો એ સમજુને કેમ શોભે ? For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004830
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 06
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy