________________
૧૧ : સંસારમાં સૌ દુઃખી, સુખી એક અણગાર :
સિંહાવલોકન :
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, સંસારવર્તી પ્રાણીગણને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરાવવા માટે આ “ધૂત' નામના છઠ્ઠા અધ્યયનના બીજા સૂત્રના -
રં સુખેદ નહી તer" આ અવયવ દ્વારા, શ્રોતાઓને શ્રવણસન્મુખ બનાવવા અનંતજ્ઞાનીઓએ ફરમાવેલા તે યથાસ્થિત કર્મવિપાકને યથાસ્થિતપણે જ કહેતા એવા મને હે ભવ્યો ! તમે સાંભળો. આ પ્રમાણે ફરમાવ્યું : અને -
“ક્ષતિ પVI ગ્રંથા ત િવિવાદિયા” આ અવયવ દ્વારા, “ચાર ગતિમાં પડેલાં સંસારી પ્રાણીઓ નાના પ્રકારના કર્મવિપાકને અનુભવે છે. આ વાતને દર્શાવવા ફરમાવ્યું કે –
આ સંસારમાં “ચક્ષુ ઇંદ્રિયથી રહિત અને સદ્વિવેકથી વિકલ એટલે દ્રવ્યથી અને ભાવથી પણ એમ ઉભય પ્રકારે અંધ એવાં પ્રાણીઓ, કર્મવિપાકથી આપાદિત કરેલ નરકગતિ આદિરૂપ દ્રવ્યઅંધકારમાં અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયાદિરૂપ ભાવઅંધકારમાં પણ અટવાયેલા રહે છે એમ સારી રીતે પ્રસિદ્ધ છે.
આ વિશ્વમાં અનેક પ્રાણીઓ ચક્ષુના અભાવથી માત્ર દ્રવ્યઅંધ અને સદ્દવિવેકના અભાવથી ભાવઅંધ હોય છે : ત્યારે અનેક પ્રાણીઓ ઉભયના અભાવથી દ્રવ્ય અને ભાવ એમ ઉભય પ્રકારે અંધ હોય છે : એ જ રીતે કર્મના યોગે કેટલાંક પ્રાણીઓ, દ્રવ્ય અને ભાવ એમ ઉભય પ્રકારના અંધકારમાં પણ આથડ્યા કરે છે. પુનઃ પુનઃ દુઃખાવસ્થા :
આ રીતે ચારે ગતિમાં ભટકતાં પ્રાણીઓની દુઃખમય અવસ્થાનું વર્ણન કર્યા પછી પુનઃ પણ એની એ જ અવસ્થાનું વર્ણન કરતાં સૂત્રકાર પરમર્ષિ ફરમાવે છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org