SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ : કષાયોનું સ્વરૂપ, પ્રકારો અને પરિણામ : ૭ એક જ ઉપાય : ♦ કષાયનું સ્વરૂપ : ♦ કષાય એ સંસારનું મૂળ છે : ♦ કષાયો એ મહાભયરૂપ 1: - ધર્મની આરાધનાનો ઉપાય : ૭ ક્રોધાદિનો ઇહલૌકિક વિપાક : ૦ ક્રોધ આદિના ચાર ચાર પ્રકારો : ♦ ‘અનંતાનુબંધી આદિની નિરુક્તિ : અનંતાનુબંધી આદિનું વિશેષ સ્વરૂપ : ૦ કષાયથી બચવાનો ઉપદેશ : વિષય : કર્મગ્રંથાદિના આધારે ‘કાર્યો' અંગે વિશદ વિચારણા. ભાવ અંધતાના કારણરૂપ મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદનું પૂર્વ પ્રવચનોમાં વિવેચન કર્યા બાદ આ પ્રવચનમાં કષાયો અંગે સવિસ્તર વિવેચન રજૂ કરાયું છે. કષાયોનું સ્વરૂપ, ‘સંસાર અને કર્મને લાવી આપે અર્થાત્ સંસાર કે કર્મને વધારે તે કષાય' એવી અનેક પ્રકારની વ્યાખ્યાઓ; એ કષાયોના અનંતાનુબંધી વગેરે ચાર પ્રકારો અને તેની સ્થિતિ - ફળપ્રદાયકતા અંગેનું વર્ણન, નિર્યુક્તિ, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક તેમજ કર્મગ્રંથાદિના આધારે કરવા પૂર્વક એની દારૂણતા સમજાવી છેવટે આ સર્વ વર્ણનના હેતુરૂપ કષાયથી બચવાનો ઉપદેશ, શાસ્ત્રકારોના જ શબ્દોમાં આપ્યો છે. 103 સુવાક્યાતૃત ♦ પુનર્જન્મની પરંપરાને તોડી નાખવા ઇચ્છનારા આત્માઓએ ક્રોધ અને માનને ઉશૃંખલ બનતાં અને માયા તથા લોભને વૃદ્ધિ પામતાં અટકાવવાં જોઈએ. ♦ ક્રોધ એ, પ્રીતિનો જડમૂળથી નાશ કરનાર છે. ♦ માન એ, વિનયનો નાશ કરનાર છે. ♦ માની આત્મામાં અહંકારના યોગે મૂર્ખતા ઝટ આવે છે અને એ મૂર્ખતાને લઈને દરેકે દરેક વાતમાં એ ઉચિત આચરણનો વિરોધી બની સ્વ-પર ઉભયનો સંહારક બને છે. ♦ માયા, મિત્રોની નાશક છે, એ વાત વિના વિવાદે સિદ્ધ થઈ શકે તેવી છે. ♦ લોભ એ, સર્વનો વિનાશ કરનાર છે. Jain Education International ♦ કષાયો એ, આત્માના ગુણોનો કારમી રીતે નાશ કરે છે અને આત્માને સંસારમાં ભટકાવવામાં ભારેમાં ભારે ભાગ ભજવે છે. ♦ જેઓ કષાયનો વિશ્વાસ રાખે છે, તેઓ પાયમાલ થયા વિના રહેતા નથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004830
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 06
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy