SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - 12 અનંતકાળ સુધી આ અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે; તે કારણથી એવા કારમાં પ્રમાદના દોષથી બચવા ઇચ્છતા પંડિત પુરુષે, એ કારમા પ્રમાદનો પરિત્યાગ કરી રત્નત્રયીની આરાધનામાં અપ્રમત્ત બનવું જોઈએ.” પ્રભુશાસનમાં તે જ પંડિતાઈ સાચી મનાય છે કે જે વિષયાદિક પ્રમાદથી બચાવી આત્માને રત્નત્રયીની આરાધનામાં ઉજમાળ બનાવે છે. પ્રભુશાસનના પ્રેમીઓએ આવી પંડિતાઈ માટે જ પ્રબળ પ્રયત્નો કરવાની જરૂર છે, જેઓ આથી વિપરીત પંડિતાઈને પ્રચારે છે તેઓ જનતાના હિતનો સંહાર જ કરે છે. જેઓ પોતાનું અને પરનું હિત કરવા ઇચ્છતા હોય તેઓએ પ્રમાદથી બચવું જ જોઈએ. આ રીતે મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદનું સ્વરૂપ વગેરે આપણે જોઈ લીધું. કષાયનું સ્વરૂપ વગેરે બતાવતાં ઉપકારીઓ શું શું ફરમાવે છે એ વળી હવે પછી - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004830
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 06
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy