SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૫ – 1153 ભરેલા સૂત્રની અભિમુખ કરે છે. જે સૂત્રને અભિમુખ કરવા માટે ટીકાકાર મહર્ષિ આ પ્રમાણે ફરમાવે છે, તે સૂત્ર કેવા સુંદર ભાવવાહી શબ્દોમાં રચાયું છે તે અને તેનો ભાવ સમજાવતાં ઉપકારી ટીકાકાર મહર્ષિ શું ફરમાવે છે તે બધુંય આપણે જોઈએ અને વિચારીએ : રોગો અને આતંકોથી નહિ છૂટતાં સંસારીઓને જે જે અધિક થાય છે, તે ઉપર ગંભીર વિચાર કરવાનો અને એ વિચારના પરિણામે યોગ્ય રીતે ઉદ્યમશીલ બનવાનો અનુપમ, એટલે કે જૈનશાસન સિવાયની દુનિયામાં જેનો જોટો ન મળે તેવા ઉપદેશ આપતાં બન્નેય ઉપકારીઓ ફરમાવે છે કે "मरणं तेसिं संपेहाए उववायं चवणं । ૨ નડ્યા, પરિવાર૨ સંપદા” "तेषां कर्मगुरूणां गृहवासासक्तमानसामसमञ्जसरोगैः क्लेशितानां 'मरणं' प्राणत्यागलक्षणं 'संप्रेक्ष्य' पर्यालोच्य पुनरुपपातं च्यवनं च देवानां कर्मोदयात् सञ्चितं ज्ञात्वा तद्विधेयं येन गण्डादिरोगाणां मरणोपपातयोश्चात्यन्तिकोऽभावो भवति, किं च कर्मणां मिथ्यात्वाविरतिप्रमादकषाययोगाहीतानामबाधोत्तरकालमुदयावस्थायां परिपाकं च सम्प्रेक्ष्य' शारीरमानसदुःखोत्पादकं पर्यालोच्य तदुच्छित्तये यतितव्यम् ।।" “કર્મોથી ગુરુ બનેલા, ગૃહવાસમાં આસક્ત મનવાળા અને અસમંજસ રોગોથી ક્લેશ પામેલા સંસારી આત્માઓના પ્રાણત્યાગરૂપ મરણને વિચારીને અને કર્મોદયથી સંચિત કરેલ દેવોના ઉપપાત અને ચ્યવનને જાણીને , તે જ કરવા યોગ્ય છે કે જેના પ્રતાપે ‘ગંડ' આદિ રોગોનો અને મરણ તથા ઉપપાતનો આત્યંતિક અભાવ થાય. અને વળી- “મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગના યોગે એકઠાં કરેલાં કર્મોનો તેના અબાધાકાલ પછીના કાલે ઉદયાવસ્થામાં શારીરિક અને માનસિક દુઃખોને ઉત્પન્ન કરનાર પરિપાકને, તેને વિચારીને તે કર્મોના જ ઉચ્છેદન માટે અને તે તે કર્મોના કારણરૂપ જે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ તેના ઉછેર માટે યત્ન કરવો જોઈએ, એટલે કે એવો યત્ન કરવો એ યોગ્ય છે.” આ સુંદર ઉપદેશ ઉપરથી એક જ વસ્તુ સમજાય છે અને તે એ જ કે - “યોગ્ય આત્માઓએ ગંડ આદિ રોગો, મરણ, ઉપપાત અને એ સર્વના કારણરૂપ કર્મનો અને કર્મના કારણરૂપ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગનો નાશ કરવો, એ જ વિવેકી આત્માનું કર્તવ્ય છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004829
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy