________________
૧૯ : રસગતિનાં દુઃખો અને કર્તવ્યમાર્ગ:
રક્ષક તો એક જ ?
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ, સંસારવર્તી પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય થાય એ હેતુથી સમજાવવા ધારેલો કર્મનો વિપાક સહેલાઈથી સમજી શકાય એ કારણે ચારે ગતિના જીવોની યોનિ આદિને સમજાવતાં ટીકાકાર પરમર્ષિએ, પ્રથમ નરકગતિના જીવોની યોનિ, કુલકોટિ અને ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રતિપાદન કરવા સાથે તે જીવોની વેદનાઓનો પણ કંઈક ખ્યાલ આપ્યો. એ પછી તિર્યંચગતિમાં રહેલા એકેંદ્રિય આદિ જીવોની પણ યોનિ અને કુલકોટિની સંખ્યા કહેવા સાથે એ જીવની વેદનાઓનો પણ સામાન્ય ખ્યાલ એ મહર્ષિએ આપ્યો. એકેંદ્રિય આદિ જીવોની વેદનાઓનો જે ખ્યાલ ટીકાકાર મહર્ષિએ આપ્યો છે તે ઘણો જ સંક્ષેપમાં હોવાથી આપણે એવા જીવોની વેદનાઓનું સ્વરૂપ કંઈક વિશેષ પ્રકારે જાણવા માટે એ જીવોની વેદનાઓના જે પ્રકાર કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ, શ્રી યોગશાસ્ત્રમાં સંસારભાવનાના સ્વરૂપનું વિવરણ કરતાં જણાવ્યા છે તે જોઈ રહ્યા છીએ. પૃથ્વીકાય' આદિ પાંચ પ્રકારના એકેંદ્રિય જીવોને કેવા કેવા પ્રકારની વેદનાઓ અવિરતપણે ભોગવવી પડે છે એ આપણે જોઈ આવ્યા. એ જોતાં આપણે એ વસ્તુ નિશ્ચિત કરી આવ્યા કે –
પૃથ્વીકાય આદિના જીવો છે અને તેઓ ઘણી ઘણી વેદનાઓ ભોગવે છે એ વગેરેનું વર્ણન કરી એના પણ રક્ષણનું વિધાન કોઈ પણ શાસન કર્યું હોય તો તે એક શ્રી જિનેદ્રદેવોનું શાસન છે અને એ જીવોને પૂરેપૂરું રક્ષણ જો કોઈ પણ તરફથી મળતું હોય તો તે શ્રી જિનેંદ્રદેવોએ જાતે સેવીને શક્ય રીતે ઉપદેશેલી એક સાધુતા જ છે.' બે ઇંદ્રિયોની બૂરી દશા :
હવે ‘બેઇંદ્રિય, ત્રાંદ્રિય, ચતુરિંદ્રિય, અને પંચંદ્રિય' - આ ચારે પ્રકારના ત્રણ તિર્યંચોની ત્રાસજનક દશાનું કંઈક સ્પષ્ટતાથી પ્રતિપાદન કરતાં કલિકાલસર્વજ્ઞા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org