SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ - – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ – 1984 ૯. કેટલાક પૃથ્વીના જીવોને ક્ષારમૃત્યુટો દ્વારા પકાવીને કારીગરો શાણ ઉપર ખૂબ ખૂબ ઘસે છે. ૧૦. કેટલાક પૃથ્વીના જીવો, ટંકાદુકો (ટાંકણાં વગેરે) દ્વારા ખૂબ ખૂબ ફડાય છે. ૧૧. અને કેટલાક પૃથ્વીના જીવો, પર્વતોની નદીઓના પ્રવાહો દ્વારા ફડાય છે. આવા આવા પ્રકારના, પૃથ્વીકાય જીવોની પીડાના પ્રકારો જાણીને પાપભીરુ, આત્માઓએ ખૂબ ખૂબ વિવેકી બનવાની જરૂર છે. ઉપકારી પુરુષો એ જીવોની પીડાના એવા એવા પ્રકારોનું વર્ણન એટલા જ માટે કરે છે કે “પૃથ્વીકાયના જીવો આવા આવા પ્રકારો દ્વારા ભયંકર પીડાને પામે છે” એમ જાણીને વિવેકી આત્માઓ તેવા તેવા પ્રકારો દ્વારા તે જીવોને પીડારૂપ થતા અટકે; અથવા ન અટકી શકાય તેમ હોય તો પણ યતનાયુક્ત તો અવશ્ય બને છે. આ વાત એકલા પૃથ્વીકાયના જીવો માટે જ નથી પરંતુ સઘળાય જીવો માટે સમજી લેવાની છે. અપ્લાય' ઉપરના ઉપદ્રવો - “પૃથ્વીકાયની પીડાના પ્રકારો વર્ણવ્યા બાદ ‘અપ્લાયના ઉપદ્રવોનું વર્ણન કરતાં પણ પ્રવચનપારંગત એ પરમર્ષિ પ્રરૂપે છે કે – “ગાવતાં પુનઃ પ્રતા-સ્તાન તપનામઃ | घनीक्रियन्ते तुहिनेः, संशोष्यन्ते च पांशुभिः ।।१।। क्षारेतरसाश्लेषाद्, विपद्यन्ते परस्परम् । સ્થાન્વિન્તસ્થા વિપશ્ચત્તે, પીત્તે પિપાસ રા “એકેંદ્રિયપણામાં પૃથ્વીકાયરૂપતાને પામેલા આત્માઓ, જેમ અનેક પ્રકારની પીડાઓને ભોગવે છે તેમ “અપકાયપણાને પામેલા જીવો પણ - ૧. સૂર્યનાં કિરણોથી તપે છે, ૨. તુહિનથી ઘનીભૂત થઈ જાય છે અને ૩. ધૂળ દ્વારા શોષાઈ જાય છે ? ૪. ખારો રસ અને તે સિવાયના બીજા પણ રસો એ રસોના પરસ્પર મિલનથી પરસ્પરનો વિનાશ થાય છે; અર્થાતુ ખારા પાણી સાથે મીઠું પાણી મળે તો એ ખારા પાણીના અને મીઠા પાણીના, ઉભયના જીવો નાશ પામે છે : એ રીતે ભિન્ન ભિન્ન રસના પાણીનો ભિન્ન ભિન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004829
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy