SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ : આસ્તિક્ય અને તાત્વિક દયાનો સંબંધ : 78 • સૂત્રરચનાના હેતુનું સ્પષ્ટીકરણ : ૦ અનીતિ ન કરો પણ શુભ કાર્યવાહી કરો ! • જ્ઞાનીની દયા : • ઋદ્ધિ સાથે દાન લખો તો ? •સ્વોપકાર વગર પરોપકાર નથી ! • ઋદ્ધિ અને બળ માગ્યે શું મળે ? • આ લોક અને પરલોક : • અનીતિને કાઢવાનો રસ્તો : • દયામાં ભેદ : • શ્રાવક કુળ : ૦ દયા કે ત્રાસ ? • પાપનો પશ્ચાત્તાપ હોય ! • જૈન એટલે ક્ષત્રિય : ૦ પાપરુચિ : • વિરોધી પ્રત્યે : • રાજસત્તા અને કર્મસત્તા : • ગુણો અને ગુણાભાસો : પાપભીરુતા : • શ્રી શાલિભદ્રજી : • બીજાને માટે કરો તે તમારે માટે વિચાર! શુભોદય વિના માર્ગે નહિ મળે ! • સુવિદ્યા અને કુવિદ્યા : વિષય : તત્કાળ દુ:ખને દૂર કરવું કે એના કારણને દૂર કરવું? દુનિયામાં એક નાદ ઉઠ્યો છે કે દુઃખીના દુઃખને દૂર કરો. પણ એના દુઃખનું મૂળ કારણ શું? પાપ એ જ એનું મૂળ કારણ છે અને જ્યાં સુધી એ મૂળને ન કપાય ત્યાં સુધી ગમે તેટલું દૂર કરેલું દુઃખ ફરી ઊગી નીકળવાનું જ છે. આ જ મહત્ત્વના સિદ્ધાંતને સમજાવવા માટે મુખ્યપણે આ વ્યાખ્યાનનો હેતુ છે. એમાં જૈનશાસનની તાત્ત્વિક દયા એટલે શું ? એ બતાવી આસ્તિષ્પ સાથે તેનો સંબંધ સુપેરે જોડી આપ્યો છે. જેનું પોતાના આત્માને દુઃખ અપ્રિય છે, તેવું જ અન્ય આત્માઓને પણ છે. માટે કોઈને પણ દુઃખ ન થાય તેવું વર્તન કરવું એમ જૈનશાસન ફરમાવે છે. આ વાતની સાથે એ વિષયક ઘણા પ્રશ્નોના રસાળ શૈલીથી અત્રે જવાબ આપેલ છે. મુવાક્યાતૃત • લોકોને નિર્વેદ અને વૈરાગ્યથી વેગળા કરી મૂકવાના કારમાં પ્રયત્નો કરવા, એ તો કસાઈની કતલ કરતાં પણ ભયંકર પાપકર્મ કરવા બરાબર છે. ૦ આત્મ સ્વરૂપના ભાન વગરનાની દયા પ્રાયઃ ઉપલકિયા જ હોય છે. • ભીખ માગીને પેટ ભરનાર કરતાં અનીતિ કરી ગુજારો ચલાવનાર બહુ દયાપાત્ર છે. ૦ આત્માને વેચીને પારકાનો ઉપકાર કરવાનું શ્રી જૈનશાસનમાં નથી. વિરોધી પ્રત્યે પણ આપણા હૃદયમાં મલિનતા ન જોઈએ. જો હૃદયમાં એના પ્રત્યે પણ મલિનતા આવે તો આપણું બગડે. ૦ અનીતિથી સવાયા થવાની માન્યતા એ ભયંકર અજ્ઞાન છે. • અમે પણ માર્ગથી ખસીએ તો તમારે અમારી પાછળ પણ નહિ આવવાનું. માગવું જ હોય તો, શ્રી ધનાજી અને શ્રી શાલિભદ્રજીનું દાન અને સંયમ બેય માગજો. ઋદ્ધિને બદલે એ લખો તો ઘણું જ સુંદર છે. જેને આત્માની દયા જાગે તે જ પારકી દયા કરે. કોઈ સંબંધી, સ્નેહી, પોતાના પરિચયમાં આવનાર, પોતાની નજરે પડનાર પાપથી કેમ બચે એ ભાવના તે પરદયા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004829
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy