SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ 925 -૬ ઃ જેનશાસનનું ધ્યેય સ્વર્ગ નહિ પણ મોક્ષ : - 56 - ૮૫ ધગશ હોય ત્યારે રાજા વિજય પામે છે ને ? તેમ સમ્યગ્દષ્ટિ પણ ધર્મસન્મુખ રહેવો જોઈએ. એ ક્યારે બને ? એ બનાવવા માટે બેયનાં કારણોને ભિન્ન ભિન્ન સમજવાં જોઈએ. સંસારનાં કારણોને મોક્ષનાં કારણો માની એની સેવામાં કટિબદ્ધ થવું, એવું માનનાર વીસમી સદીનો સ્વચ્છંદી જમાનો છે. દાન એ ધર્મ' - એ ભાવના હશે તો થોડામાંથી થોડું પણ દાન દેવાશેઃ લક્ષ્મી એ ધર્મ – એ ભાવના હશે તો થોડું પણ દાન દેવાનું હશે તેય અટકી જશે! ધર્મને મૂકી લક્ષ્મી વગેરેને મારું-મારું કરતા મરી ગયા, તો આ લોકમાં પણ બિચારા કહેવાશો અને પરલોકમાં તો દુર્ગતિઓ તૈયાર જ છે ! ધર્મ ખાતર સર્વસ્વ સમર્પનાર, જીવન સમર્પનારની પાછળ આ લોકમાં “એ બહાદુર હતો” - એમ કહેવાશે અને પરલોક તો સારો છે જ – માત્ર મોઢે બોલવાથી શો લાભ થાય ? પ્રભુના શાસનને પામેલો સ્વ-પરનું હિત ચિંતવે, આપત્તિ આવે તેને તેટલી ન ગણકારે ! વ્યાધિ મટાડવો હોય તો કુપથ્થત્યાગ તથા ઔષધ લેવાની વૈદે કહેલી તમામ આપત્તિ સ્વીકારવી પડે. જૈનશાસનનું ધ્યેય સ્વર્ગ નહિ પણ મુક્તિઃ મોક્ષનાં કારણ એ પણ સ્વર્ગનાં કારણ તો છે જ, એટલે એ જુદાં કહેવાની જરૂર નથી. મોક્ષનાં કારણ પૂરાં નહિ મળે ત્યાં સુધી સ્વર્ગ અને પૂરાં મળશે ત્યારે મોક્ષ છે ! ધ્યેય મુક્તિનું છે, પણ સ્વર્ગનું નથી. જેનશાસનમાં સ્વર્ગ છે. જેનશાસનવાળા માટે સ્વર્ગના દરવાજા ખુલ્લા છે. અનેક સ્વર્ગે ગયા, જાય છે અને જશે, પણ ધ્યેય સ્વર્ગ નથી. જેનશાસનનું ધ્યેય તો મુક્તિ જ છે ! જેમાં પૌલિક ભાવનાનો અંશ પણ નથી તે મુક્તિ એ જ ધ્યેય ! સમ્યગ્દષ્ટિ સવારમાં આત્માને પૂછે : “શાની ઇચ્છા છે ?' જવાબ “મોક્ષની.” એ જ હોય ! જો અંતિમ ઇચ્છા પણ બીજી હોય, બીજું ધ્યેય ગમે, મુક્તિ કરતાં બીજામાં વધુ રસ હોય, તો એટલી પોલ ! મુનિને આહારની વિધિ છે કે જેમ સાપ દરમાં પેસે તેમ કોળિયો જીભને અડાડ્યા વગર નીચે ઉતારે. રસ લાગે તો આત્મા રસલુબ્ધ થાય. મુનિને અંકુશ અને શ્રાવકને છૂટ એમ નથી. શ્રાવકને વાંધો નહિ એમ નહિ. ગૃહસ્થની તાકાત ઓછી માટે મુનિ જેટલી ફરજ ન મૂકી. જ્ઞાનીએ જોયું કે ફરજ મૂકવામાં આવશે તોયે અશક્ત આત્માઓ અધવચ્ચે નાસવાના છે. શ્રાવકને અમુક ક્રિયા ન લાગે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy