________________
૮૪
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
-
82
દર
રૌદ્રધ્યાનથી ચોથે આરે નરક મળે અને આજે સ્વર્ગ મળે એમ? સભાઃ એમ માને છે કે ફેરફાર થાય.
માને છે એ વાત જુદી. આ બધાને કોઈ ચોટ્ટા માને તો કોઈ રોકતું નથી, સાબિત ન થાય તો એ માનનાર કેવો ?
સભા : તાકાત ઓછી તો બને ?
તાકાત ઓછી-વત્તી એ બને, પણ તેટલા માટે સાચાને ખોટું તો ન જ કહેવાય. તાકાત ન હોય તો તથાવિધિ અમલ ન થાય, પણ ધર્મને અધર્મ તથા અધર્મને ધર્મ તો ન જ કહેવાય. આજના કાળમાં જિનકલ્પાદિ માટે પ્રભુએ પણ ના પાડી છે. ચારિત્ર એટલે સર્વવિરતિ તથા દેશવિરતિમાં વાંધો આવે, પણ બધા પદાર્થોમાં મારાપણું માની સમ્યગ્દષ્ટિ આત્મા ધર્મનો ઘાત ન થવા દે.
કેટલેક સ્થળે આજ તો એ વાસના ઘૂસી છે કે દુનિયાદારીના પદાર્થો હોય તો જ મોક્ષ સધાય, પણ એ માન્યતા ખોટી જ છે : અને એથી ઉપકારીઓ તો ફરમાવે છે કે “હું, અમે અને અમારું” છોડાય તો જ શાસનપ્રભાવક, - અરે શાસનના એક અદના સેવક પણ તો જ થવાય ! શાસનમાં રહેનારે “હું, અમે અને અમારું' એ છોડવું જ પડશે. તમારે પણ “પહેલું તો શાસન જ' - એમ માનવું પડશે.
આજ તો એમ પણ કહેવાય છે કે “સાધુ તો કહે પણ અમારે તો દુનિયાદારી પહેલી : સાધુને તો આગળ ઉલાળ નહિ ને પાછળ ધરાળ નહિ ! અમારે તો તેલ જોવું, તેલની ધાર જોવી, બધું જોવાનું આ હોય તો ભલે, નહિ તો ગાબચી પણ મારીએ.” આવી જાતની વિચારણાથી કૃષ્ણપક્ષીયાની મોટી સંખ્યામાં તમારો નંબર ન આવે તેની કાળજી રાખજો.
દુનિયાદારીને પહેલી માનનારા સેંકડે એંશી ટકા કે એથી પણ અધિક હોવાનો સંભવ છે ! ચોખ્ખું કહેનારા પણ પડ્યા છે કે ધર્મ તો નવરાશે, ફુરસદે, અનુકૂળતાએ, ફાવે તો, ગમે તો, રુચે તો કરીએ, બાકી આ તો છે જ. આ દશા છે માટે જ અણીના સમયે ડૂબકી મરાય તેની ગમ પણ નથી રહેતી.
યુદ્ધમાં અણીને વખતે રાજા ક્યાં જુએ ? દુશ્મન રાજા તરફ જ જુએને ? એ વખતે પોતાની જાત ઉપર પડતા પ્રહાર તરફ જુએ ખરો ? નહિ જ : એ તો દુશ્મન તરફ ધસ્યો જ જાય - પાછો ભાગે ખરો ? નહિ જ. એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org