________________
82૩ – ૬ ઃ જેનશાસનનું ધ્યેય સ્વર્ગ નહિ પણ મોક્ષ : - 56 - ૮૩ ધર્મ ! જ્યારે પુણ્યપુરુષો માનતા અને માને છે કે “ધર્મ ખાતર બધું જાઓ. એ શાથી ? એથી જ કે સંસારનાં કારણ તથા મોક્ષનાં કારણને અલગ માનતા અને માને છે.
ક્ષત્રિયોનો કાયદો હતો કે શરણાગતને આશ્રય આપતા. ત્યાં શું થશે એનો વિચાર જ ન કરતા. એ કુળસંસ્કાર. પોતામાં પોતાપણું શું જોઈએ તે સમજતા. ઘણા ટેકીલાઓએ ભીખ માગી રખડી મરવાનું પસંદ કર્યું છે, પણ વસ્તુ ગુમાવી નથી. એ સમજતા કે વસ્તુ ગઈ તો બધું ખલાસ ! ચક્રવર્તીને ચક્રવર્તી બનવું હોય તો જે આજ્ઞા ન માને તેની સામે થવું પડે તો જ ચક્રવર્તી બનાય. શ્રી ભરત મહારાજા જાણતા કે નવાણું પોતાના ભાઈઓ છે અને રાજ્ય પણ પિતાએ આપ્યું છે, કાંઈ કહેવાનો હક્ક નથી, પણ ચક્રને આયુધશાલામાં પ્રવેશ કરાવવો હોય અને ચક્રવર્તી બનવું હોય તો દૂત મોકલવા પડે અને ન માને તો સામે પણ જવું પડે તો ચક્રવર્તી બનાય ! જે વસ્તુ જે સ્થાને બેઠી છે તેને મુખ્ય માને તો જ વસ્તુ દેખાય.
વિરધવળ રાજાએ જાણ્યું એટલે લડાઈ કરવા તૈયાર થયા : મંત્રી પણ સામે થયા : બધા જઈને રાજાને કહે છે કે “જેના યોગે રાજ્યની આબાદી તેની સામે આ ધાંધલ હોય ? મંત્રીશ્વરે તમારા મામાની આંગળી કાપી શાથી ? કારણ વિના કાપે ?' વિરધવળ કહે કે “એ હું જાણતો નથી. મામાએ ફરિયાદ કરી.” મંત્રીને બોલાવવા મોકલ્યા. મંત્રી કહે - “વગર આમંત્રણ નહિ આવીએ તેમજ શસ્ત્રબદ્ધ આવશું. સભા પીંખીને ઘેર આવવાની પણ તાકાત અમારામાં છે.” રાજાએ એ રીતે બોલાવ્યા. મંત્રીએ જઈને પોતાના ધર્મગુરુના થયેલા અપમાનની વાત જણાવી : રાજા પણ સમજ્યો અને સમાધાન થયું. મંત્રી મુદ્રાની પરવા ન કરી તો આ પરિણામ આવ્યું અને પરવા ન કરી તેનું કારણ એ છે કે તેઓ “મંત્રી મુદ્રા તો ધર્મના પ્રતાપે છે' - એમ માનતા. “હું, અમે ને અમારું - એ છોડો !
આજ તો મોક્ષના અર્થી કહેવરાવવું છે અને સંસારનાં કારણોને મોક્ષનાં કારણો માનવાં છે ! એ દશામાં ધર્મ થાય ? અરે ! થાય તો નહિ પણ ધર્મ હોય તેય જાય જ ને ?
સભા : કાળ પ્રમાણે ફેરફાર હોય ને ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org