________________
૮.
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૪
છે.'
સમજદાર એવી સ્થિતિ પણ ઊભી કરી શકે, પણ ‘એ વૈરાગ્યનું જ સાધન એમ કોઈ લખી વાળે તો પરિણામ ભયંકર આવે એમાં આશ્ચર્ય શું છે ? આથી જ દુનિયાની ચીજ મોક્ષમાર્ગમાં ઉપયોગી થાય, તો પણ તેને ધર્મનું કારણ ન કહેવાય. આ નિર્ણય થાય તો ગૃહસ્થ પણ, સંસારમાં ડૂબેલો પણ, વિષયાધીન પણ, એવાની પણ એ દશા તો ન જ થાય કે ધર્મને ઠોકરે મારે. આજે વાત વાતમાં ધર્મને ગૌણ બનાવાય છે. આજ એ કહેવાય છે કે ધર્મ ખરો, આગમ ખરું, પણ અહીં દુનિયાદારીમાં વાંધો ન જ આવવો જોઈએ.' શાસ્ત્રમાં તો એવું આવે છે કે પૂર્વે એક એક આત્માનું હિત જોયું ત્યાં બધું છોડ્યું ! એ સમજતા કે છોડવાનું તો છે, છોડું તોય છૂટવાનું છે અને ન છોડું તોય છોડવાનું છે, તો ધર્મરક્ષા માટે કાં ન છોડું ? જેટલા જેટલા શાસનમાં પ્રભાવકો થયા, સાધુ કે શ્રાવક એમને પ્રાયઃ બીજો વિચાર જ નહિ. એક જ વિચાર કે ધર્મનાં સાધનો સેવવાં અને એની સેવા માટે સર્વસ્વ સમર્પવું.'
-
Jain Education International
-
-
મંત્રીમુદ્રા શાના યોગે ?
શ્રી વસ્તુપાળ ગમે તેવા તોયે વીરધવળના તો મંત્રી ને ! ગમે તેવા તોય નોકર. એમની આવડતના યોગે એમના પર વિશ્વાસ એટલો બધો કે ભલે રાજા પણ કંઈ ન કહે, પણ મંત્રી તો ખરા ને ! એક વખત સવારમાં દાતણ કરવા બેઠા છે, હજી પચ્ચક્ખાણ પાર્યું નથી, ત્યાં રાજાના મામાએ પોતાના ધર્મગુરુનું અપમાન કર્યાના ખબર મળે છે. તરત અપમાન કરનારની આંગળી કાપી લાવવાનો હુકમ કરે છે. પચ્ચક્ખાણ પાર્યું નથી : ‘એ આંગળી કાપી લાવો પછી પચ્ચક્ખાણ પાળીશ' - એમ કહે છે. આ કોની આંગળી કાપવાની હતી ? માલિકના મામાની ! ‘શું થશે ?’ – એમ વિચારે તો આ હુકમ થાય ? તો તો એમ થાય કે ગળી જાઓ, ગમે તેવો તોય રાજાનો મામો છે, માટે વિગ્રહ કરવામાં માલ નથી, એમ થાય : પણ એ વિચાર એમને ન જ આવ્યો. એ તો કહેતા કે હું મંત્રીપદ પર જીવતો નથી પણ ધર્મ ઉપર જીવું છું : અગર મંત્રીપદ ઉપર જીવતો હોઉં તો પણ ધર્મને આઘો કરું તો હું ધર્મી નથી. કીમતી તો ધર્મ છે, કે જેથી મંત્રીપદ મને મૂંઝવી શકતું નથી. જો મારામાં ધર્મ ન હોત તો મંત્રીપદ તો મારી નાખત. અત્યારે ઘણાઓની એવી માન્યતા છે કે ‘ધર્મ દુનિયાદારીનાં સાધનોથી છે માટે એ પહેલાં અને પછી
–
-
For Private & Personal Use Only
822
www.jainelibrary.org