SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ 821 –– ૬ : જેનશાસનનું ધ્યેય સ્વર્ગ નહિ પણ મોક્ષ : - 56 - ૮૧ કહેવાય છે કે “જેણે સંસારની મક્કમતા નથી કેળવી તે સંયમમાં શું કરવાનો ?' એક મત એવો પણ છે, કે જે એમ કહે છે કે “પહેલો ધર્મ ગૃહસ્થાશ્રમ !” શાસ્ત્રકાર કહે છે કે “જો ગૃહસ્થાશ્રમને જ પ્રથમાચરણીય ધર્મ મનાત તો તો પછી સંન્યસ્ત રહેત જ ક્યાંથી ?' વસ્તુ ઉપયોગમાં આવે એની ના નથી, એનો ઇનકાર નથી, પણ તે તેનું કારણ તો નહિ જ!લક્ષ્મી દાનમાં, ધર્મસેવામાં કામ આવે, પણ એ ધર્મ તો નહિ જ ! જો એને ધર્મ મનાય તો મૂળ ધર્મ જ રહેવા ન પામે. સ્વર્ગ તથા અપવર્ગ અને તેનાં કારણો તથા સંસાર તેમજ તેનાં કારણોને બરાબર તે તે રૂપે સમજે, તેની ભિન્નતા સમજે, પછી તેનું તથારૂપે જ ધર્મદેશક નિરૂપણ કરે. સંસારનાં સાધનોને મોક્ષનાં સાધનો માને તો શું થાય ? કંકણનો કર્કશ અવાજ! શ્રી નમિરાજર્ષિ એવા બન્યા કે એમની પાસે સુધર્મા ઇંદ્ર પણ ન ફાવ્યા. તેમનું આખું અંતઃપુર, તેમની આખી નગરી, તેમનું સંસારમાં ગણાતું બધું બળતું બતાવ્યું, પણ આમણે તો કહ્યું કે “મારું કાંઈ બળતું નથી !” આ શાથી ? કંકણના અવાજથી પેદા થએલ વૈરાગ્યથી ! આથી કોઈ કહે કે કંકણના અવાજ ઘેર ઘેર ભેગા કરવા તો ? પોતે સંસારાવસ્થામાં બીમાર પડ્યા છે : દાહવર ઊપડ્યો છે : જેમ જેમ ચંદન ચોપડવામાં આવે છે તેમ તેમ દાહ વધતો જાય છે : તો પણ ઠંડક માટે વખતોવખત રાણીઓ ચંદન ઘસતી, લાવતી અને ચોપડતી ! દાહની હદ એટલી વધી કે ચંદન ઘસતાં થતો કંકણોનો અવાજ પણ ખમાતો નહોતો. શ્રી નમિરાજર્ષિએ આટલા ખખડાટનું કારણ પૂછ્યું. કારણમાં ચંદન ઘસવામાં થતો કંકણોનો અવાજ જણાવવામાં આવ્યો. પોતે ચંદન ઘસવાની “ના” કહી, તો પણ રાણીઓ પતિભક્તા અને કુલીન હતી, એટલે પોતાના કરમાં માત્ર એકેક કંકણ રાખી ચંદન ઘસવા લાગી. આથી અવાજ બંધ થયો. ફરી નમિ રાજાએ પૂછ્યું કે ચંદન ઘસાય છે ?' બધાએ “હા” કહી. “અવાજ કેમ નથી થતો ?” - એમ પૂછ્યું. જણાવવામાં આવ્યું કે હાથે માત્ર એકેક કંકણ રાખવામાં આવ્યું છે. તરત નમિ રાજાએ ત્યાં વિચાર્યું કે “અનેક હોય ત્યાં જ ખખડાટ છે.” આથી પોતે - “વ્યાધિ શમે તો આ બધું છોડીને એકલો ચાલ્યો જાઉં.' - એમ નિશ્ચિત કર્યું. પરિણામે વ્યાધિ પણ શમ્યો : પોતે ચાલી નીકળ્યા : એમણે આ સ્થિતિ ઊભી કરી, પણ બધા માટે આ જ રસ્તો એમ તો નહિ ને ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy