________________
૮૦
--- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
0
પોતાના આવાસના ઉપવનમાં આવીને “ખરતાડનાં વૃક્ષોને ચંદન અને કપૂર આદિથી અર્ચને મંત્રસિદ્ધ પુરુષની માફક કહેવા લાગ્યા કે –
"स्वात्मनीव मते जैने, यदि मे सादरं मनः । સૂના સર્વેડપિ, શ્રીવાસ્તુતિ તવા II” "कथयित्वेति गाङ्गेय-मयं ग्रैवेयकं नृपः ।
कस्याप्येकस्य तालस्य, स्कन्धदेशे न्यवीविशत् ।।२।।" “જેમ મારા આત્મામાં મારું મન આદરવાળું વર્તે છે, તેમ જો મારું મન શ્રી જિનેશ્વરદેવના મતમાં આદરવાળું વર્તતું હોય, તો તમે સર્વે પણ શ્રી તાડવૃક્ષપણાને પામી જાવ!” આ પ્રમાણે ખરતાડનાં વૃક્ષોને કહીને મહારાજા શ્રી કુમારપાળે કોઈ પણ એક તાલવૃક્ષના સ્કંધદેશ ઉપર સોનાનું ચૈવેયક સ્થાપન કર્યું.
આ પછી શ્રી કુમારપાળ મહારાજા પોતાના મહેલે આવીને ધર્મધ્યાનમાં તત્પર થઈને રહ્યા અને શાસનદેવતાએ તે “ખરતાડનાં વૃક્ષોને શ્રીતાડવૃક્ષ બનાવી દીધાં. સવારના પહોરમાં આરામપાલકોએ એ વાત રાજાને નિવેદન કરી. મહારાજાએ પણ ખબર આપવા આવનારાઓને ઇનામ આપવા દ્વારા આનંદ પમાડીને પોતાના ગુરુ કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પાસે તે તાડપત્ર લાવીને મૂક્યાં અને વંદન કર્યું. આ જોઈ ગુરુએ રાજાને પૂછ્યું કે “આ શું ?' આ પ્રશ્નના ઉત્તરમાં રાજાએ ગુરુ આગળ સર્વ સભા સમક્ષ તે ચમત્કારી વૃત્તાંત કહી બતાવ્યો. આથી ગુરુમહારાજા પણ સભાસદોની સાથે તે ઉદ્યાનમાં ગયા અને ત્યાં બનેલા બનાવને જોઈને દેવબોધિ” આદિ બ્રાહ્મણો અને બીજા પણ લોકો આશ્ચર્યરૂપ બની ગયા. આ ઉપરથી વિચારો કે એ પુણ્યપુરુષો સંયમ નહોતા પામી શકતા તે છતાંય પ્રસંગે ધર્મની સેવા ખાતર રાજ્ય કે શરીર છોડવું પડતું હોય તો તે માટે તેઓ તૈયાર જ રહેતા : એનું કારણ એ જ હતું કે તેઓ દુનિયાનાં અને મોક્ષનાં કારણોને અલગ અલગ માનતા હતા !
આજે તો કેટલાક પુદ્ગલાનંદીઓમાં દુનિયાનાં કારણો મોક્ષનાં કારણો તરીકે મનાય છે અને કમનસીબી તો એ છે કે આજે કેટલેક સ્થળે ધર્મદેશનામાં પણ એણે સ્થાન લીધું છે. સાંભળનાર એ વસ્તુમાં ચોંટેલા તો હતા જ અને એથી એવી “ધર્મદેશનાને નામે દેવાએલી “પાપદેશના'થી વધુ મક્કમ થયા ! એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org