________________
થાળ – ૯ઃ જૈનશાસનનું ધ્યેય સ્વર્ગ નહિ પણ મોક્ષ : - 56 - ૭૯ પોતાના ગુરુદેવ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાને અને બીજા સર્વ સાધુઓને વંદન કરીને લેખશાળા જોવા માટે ગયા, ત્યાં લેખકોને કાગળના પત્રો ઉપર પુસ્તકો લખતા જોયા, તેથી ગુરુદેવ પાસે આવીને પૂછ્યું કે “પુસ્તકો કાગળો ઉપર કેમ લખવામાં આવે છે ?' ઉત્તરમાં ગુરુદેવે ફરમાવ્યું કે “હાલમાં જ્ઞાનના ભંડારમાં તાડપત્રોની ત્રુટિ છે, એ કારણે પુસ્તકો કાગળ ઉપર લખવામાં આવે છે.” આ ઉત્તર સાંભળીને શ્રી કુમારપાળ મહારાજા લજ્જા પામ્યા અને વિચારવા લાગ્યા કે –
"अहो ! गुरूणां नव्यग्रन्थकरणशक्तिरस्खलिता,
मम तु तल्लेखनेऽपि न सामर्थ्य, किं मम श्राद्धत्वम् ?" “આશ્ચર્યની વાત છે કે ગુરુદેવની નવીન ગ્રંથો બનાવવાની શક્તિ અસ્મલિત છે અને મારામાં ગુરુદેવે રચેલા તે ગ્રંથોને લખાવવાનું પણ સામર્થ નથી, તો મારું શ્રાદ્ધપણું - શ્રાવકપણું - કેવું?”
આ પ્રમાણે વિચાર કરીને પરમહંતુ મહારાજા શ્રી કુમારપાળે ઊભા થઈને ગુરુમહારાજાને કહ્યું કે “ઉપવાસનું પચ્ચખાણ કરાવો !' આ રીતે ઉપવાસનું પચ્ચખાણ કરાવવાની પ્રાર્થના સાંભળીને ગુરુદેવે પૂછ્યું કે “આજે ઉપવાસ શા માટે ?' - આ પ્રશ્નના ઉત્તરમાં મહારાજા શ્રી કુમારપાળે કહ્યું કે -
"अतः परं तदा भोक्तव्यं यदा श्रीताडपत्राणि पूरितानि भवन्ति लेखकानाम्" “આજથી આરંભીને મારે ત્યારે જ ભોજન કરવું કે જ્યારે લેખકોને હું તાડપત્રો પૂરાં પાડી શકું.”
આ અભિગ્રહ અંગીકાર કરતાં ગુરુદેવે તથા સામંત આદિએ વારવા છતાં પણ મહારાજા શ્રી કુમારપાળે તો ઉપવાસ કર્યો. આથી શ્રીસંઘે સ્તુતિ કરતાં કહ્યું કે
અહો ! ગિનાને પત્તિ-રો ! ગુરુરવા.
શ્રીમાળીભર્તુ-રજો ! નિસીમસાહસન્ III” “શ્રી કુમારપાળ મહારાજાની શી જિનેશ્વરદેવના આગમ ઉપર ભક્તિ પણ આશ્ચર્યકારક છે, ગુરુમહારાજ ઉપરનું બહુમાન પણ આશ્ચર્યજનક
છે અને સાહસ પણ સીમા વગરનું છે.” આ રીતે શ્રીસંઘથી સ્તુતિ પામતા પરમાઈતું શ્રી કુમારપાળ મહારાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org