________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૪
ઃ
એ તો શાસ્ત્રકાર પણ જાણે છે ! શિયળને ધર્મ કહ્યો, પણ શરીરને ધર્મ ન કહ્યો ! તપને ધર્મ કહ્યો, પણ ખાવું એને ધર્મ ન કહ્યો ! માસખમણના પારણે બીજું માસખમણ કરવું હોય તો તેવા આત્માને વચ્ચે પારણામાં વાપરવા જોઈએ અને વાપરે તો બીજું માસખમણ થાય એમ શાસ્ત્રકાર જાણે છે, પણ એ પારણાને તપોધર્મ ન કહ્યો ! ધર્મ તો તપ જ ! શરીર હોય તો શીલપાલન થાય, પણ શરીર એ ધર્મ નહિ : ધર્મ તો શિયળ જ. લક્ષ્મી હોય તો દાન થાય, પણ લક્ષ્મી ધર્મ નહિ : ધર્મ તો દાન જ. દાનમાં લક્ષ્મી, શીલમાં શરીર તથા તપમાં ખાવાનું, - એ ત્રણેની આવશ્યકતા જાણવા છતાંયે એને ધર્મ ન કહ્યો, કારણ કે ભિન્ન ભિન્ન પરિણામ ઉપજાવનારાં કારણોને ભેળવી દેવામાં આવે તો કોઈ પણ આત્માનો ઉદ્ધાર થાય શી રીતે ? દાનને ધર્મ કહ્યો તો લક્ષ્મીથી ખસવાના પ્રયત્ન થાય છે, પણ લક્ષ્મી એ જ ધર્મ એમ કહેત તો લક્ષ્મીને કોઈ પણ છોડત ? લક્ષ્મીને ધર્મ ગણ્યો હોત તો તે છોડાય જ નહિ, પણ ભેળી કરાય : કેમ કે લક્ષ્મી જ ધર્મ અને પછી તો દાનની જરૂર જ શી ? ને એમ થાત તો લક્ષ્મીને છોડવાની ભાવના આવત ક્યાંથી ? દાન તો સૂચવે છે કે લક્ષ્મી એ ધર્મ નથી, પણ તેનો સદુપયોગ તે ધર્મ છે ! મૂઠી આમ ને આમ રહી તો તો એ લક્ષ્મી દાબી નાખે. એ મૂઠી મરતાંય ન છૂટે : દાન ધર્મ છે માટે હાથ ધીમે ધીમેય નમે છે અને યોગ્ય અવસરે વસ્તુ પરિણમી હોય તો આખો નમવા વખત પણ આવે ! જેટલા અંશે લક્ષ્મીમાં મમત્વ છે, તેટલા અંશે ધર્મમાં હાનિ થાય છે ! જેટલું લક્ષ્મીમાં મમત્વ તેટલા મમત્વનો ધર્મમાં અભાવ !
૭૮
શ્રી કુમારપાળ મહારાજાની ગુરુભક્તિનો એક મનનીય અનુપમ પ્રસંગ :
શ્રી કુમારપાળ મહારાજાએ દેવભક્તિ તથા ગુરુભક્તિમાં ભાવનાની પરાકાષ્ઠાએ ચડી, અન્નપાણીનો પણ ત્યાગ કર્યો હતો. દેવભક્તિના પ્રસંગની વાત તે ફૂલની આંગીવાળો પ્રસંગ : તે પ્રસંગની વાત તો કહેવાઈ ગઈ છે. ગુરુભક્તિની વાત એ છે કે –
818
શ્રી કુમારપાળ મહારાજાએ એવો અભિગ્રહ અંગીકાર કર્યો હતો કે ‘ગુરુએ રચેલા સઘળા ગ્રંથો મારે જરૂર લખાવવા.' આ અભિગ્રહના પાલન માટે શ્રી કુમારપાળ મહારાજાએ સાતસો લહિયાઓ રાખ્યા હતા અને તે સાતસો લહિયાઓ રોજ ગ્રંથો લખતા હતા. એક દિવસે પ્રાતઃકાળે શ્રી કુમારપાળ મહારાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org