SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ 917 – ૬ : જૈનશાસનનું ધ્યેય સ્વર્ગ નહિ પણ મોક્ષ : - 56 – ૭૭ નથી. સામાન્ય રીતે તે કંકણનો અવાજ તો કામનું કારણ છે, કારણ કે એ વિષયવાસનાની વૃદ્ધિનું કારણ છે, એમ તો નિશ્ચિત થયેલું છે ? હા, ક્વચિતું કોઈને પોતાના આત્માની શુદ્ધ દશાના યોગે એવા પણ વિષયવાસનાના કારણથી વૈરાગ્ય થઈ જાય તે વાત જુદી ! દરેક વસ્તુ તથા તેના ગુણને ભિન્ન તરીકે ઓળખી તેને તે જ રૂપે બતાવે તો જ સાચો માર્ગ બતાવી શકાય, માટે તો શ્રી તીર્થંકરદેવ પણ યાવતું કેવળજ્ઞાન સુધી ધર્મોપદેશ નહિ આપતાં મૌન રહે છે. યોગ્ય આત્મા એને સીધા રૂપમાં લે તે વાત જુદી છે, બાકી કંકણવાળીમાં, કંકણમાં કે કંકણના અવાજમાં કંઈ વૈરાગ્ય પેદા કરવાની શક્તિ નથી. કોઈ મારવા આવે તે કાંઈ સુખનું કારણ નથી, પરંતુ જ્ઞાની અને કર્મક્ષયનો હેતુ માની સુખનું કારણ બનાવી લે તે વાત જુદી છે. સોની મળ્યો અને માથે વાધરી બાંધી તથા તેના પરિણામે નસો તૂટવા લાગી, છતાં પણ સમતા ભાવમાં રહેલા શ્રી મેતાર્ય મુનિવરને કેવળજ્ઞાન થયું, માટે જેને કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તેણે આવા ભયાનક ઉપસર્ગમાં ઘસડાઈને જવું એમ ? અને જેને કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવવું હોય તેની એવી હાલત કરવી એમ કહેવાય ? આને તે શું કેવળજ્ઞાનનું કારણ છે એમ કહેવાય ? શ્રી મેતાર્ય મુનિવરે એ ઉપસર્ગ સમભાવે સહવાથી- આત્મધર્મમાં અડગ રહી શકવાથી કેવળજ્ઞાન મેળવ્યું તે વાત જુદી છે. પણ એ ઉપસર્ગની ક્રિયાને સર્વત્ર કેવળજ્ઞાનપ્રાપ્તિના કારણરૂપ તો ન જ ગણાવાય. કેવળ સંસારનાં કારણો પણ કોઈને ઉદ્દેશીને મુક્તિનાં કારણે થાય તો ભલે, પણ એ મુક્તિનાં કારણરૂપ કહેવાય નહિ ! મિથ્યા જ્ઞાન, મિથ્થા દર્શન, મિથ્યા ક્રિયા એ મુક્તિનાં કારણ નથી. કોઈ એને પણ મુક્તિનાં કારણ બનાવે તે વાત જુદી ! બાકી મોક્ષનાં કારણો તો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર જ કહેવાય ! બીજું કહે તો મિથ્યાત્વ જ લાગે અને ઉત્સુત્રભાષિતા આવે. માત્ર દર્શન, માત્ર જ્ઞાન, કે માત્ર ચારિત્ર હોવા છતાં તે તો ઘણાને ડુબાવનારાં થયાં, માટે મુક્તિનાં કારણોમાં “સમ્યક શબ્દ યોજાયેલો જ છે. સંસાર કેવો ? ઉપદેશ દેવાય શાનો ? ઉપદેશ દેવાય શી રીતે ? – આ બધાં તત્ત્વોનો બુદ્ધિપૂર્વક શાસ્ત્રાનુસારી રીતે નિર્ણય ન કરે એ દેશના દે શી રીતે ? પરંપરાએ તો કદાચ બધી વસ્તુ પણ સારી થઈ શકે તેથી શું બધી વસ્તુઓને સારી કહેવાય ? ધર્મશાસ્ત્ર દાનને ધર્મ કહ્યો, પણ લક્ષ્મીને ધર્મ ન કહ્યો : લક્ષ્મીથી દાન થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy