________________
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ -
-
દુનિયાનાં જે સાધન, જે હેતુઓ કે જે કારણો, તેને મોક્ષનાં સાધન, હેતુ ને કારણ તરીકે કહેવાય કેમ ? દુનિયાના ઘણા પદાર્થો મોક્ષમાર્ગમાં આત્માને ઉપયોગી થાય છે : ઘણી ચીજ એવી છે, કે જે મોક્ષમાર્ગમાં જતા આત્માને સહાય કરે : પણ એ તેનાં સાધન ન કહેવાય ! જેમ રત્નત્રયી સાધન કહેવાય તેમ એ સાધનરૂપ ન જ કહેવાય !ષકામાં એક પણ કાય એવી નથી, કે જે મોક્ષમાર્ગમાં સર્વથા જ ઉપયોગી ન થાય. રત્નત્રયી આત્માથી અભિન્ન પણ છે, પણ આપણે હાલ તો સાધનની વાત કરીએ છીએ. શ્રી જિનાગમ વગેરે સાધનોની વાત કરીએ છીએ. દુનિયાની ચીજો ઉપયોગી જરૂર થાય છે, પણ એને સાધન નહિ કહેવાય.
જેનાથી સંસારની ભાવના પોષાય તે ચીજો ઉત્તમ આત્માઓને મોક્ષ પ્રાપ્તિના માર્ગમાં ઉપયોગી થતી પણ હોય, તો પણ તે ચીજોને મોક્ષપ્રાપ્તિના સાધનરૂપ ન જ કહેવાય ! મુક્તિમાર્ગના આરાધનમાં આરાધક આત્માના સદ્વિવેક રૂપ યોગ્યતાને અંગે દુનિયાની ચીજો ગમે તેટલી ઉપયોગી થતી હોય, છતાં એ ચીજો મોટે ભાગે રાગદ્વેષની પુષ્ટિ કરનારી હોય છે, માટે એ સાધનભૂત તો ગણાય નહિ જ. જેમ શ્રી દ્વાદશાંગી નિમિત્તરૂપ જણાય તેવી રીતે કેટલાય ડૂળ્યા પણ, છતાં તે દ્વાદશાંગીને ડૂબવાનું સાધન ન કહેવાય, તેમ દુનિયાની વસ્તુ પણ દુનિયાથી તરવાના ઉપયોગમાં કદાચ આવી જાય, તો પણ એ ડુબાવનારી ચીજ તે તારનારી ન જ કહેવાય !
મુક્તિમાર્ગમાં ચાલનારો વિવેકી આત્મા દુનિયાની ચીજનો સદુપયોગ કરી લે, - કદાચ એવો સદુપયોગ કરે કે જેથી એ ચીજ હાનિ તો ન કરી શકે પરંતુ સહાયક નીવડે, છતાં પણ એ ચીજનો સ્વભાવ જ ડુબાવવાનો છે માટે વસ્તુ તરીકે ડુબાડનાર ગણાય. દરેક વસ્તુના ભિન્ન ભિન્ન હેત ઓળખવા જોઈએ. એ ઓળખાય તો સાધનામાં સ્વાભાવિક નિર્વિઘ્નતા આવે. વૈરાગ્ય તો ઘણી ઘણી વસ્તુથી થાય છે, માટે બધી જ વસ્તુઓને વૈરાગ્યના કારણ તરીકે ન કહેવાય. મકાન જોઈને પણ વૈરાગ્ય થાય, પણ તેથી એ કંઈ વૈરાગ્યનું કારણ જ છે એમ ન કહેવાય.
કંકણના અવાજ પરથી શ્રી નમિ રાજર્ષિને વૈરાગ્ય થયો, તો એ ઉપરથી કંકણના અવાજને વૈરાગ્યનું કારણ ગણી, કંકણવાળી ઘરમાં લાવવી જોઈએ એમ કોઈ કહે તો કેમ ચાલે ? કંકણ કે કંકણવાળી એ કંઈ વૈરાગ્યનું કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org