SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ 815 –– ૬ : જૈનશાસનનું ધ્યેય સ્વર્ગ નહિ પણ મોક્ષ : - 56 - ૭૫ વૈશેષિકોનું ઉલૂકભાવે કરીને થાય છે તેમ નથી થતું, પરંતુ ભવોપગ્રાહી કર્મોના યોગે મનુષ્યભાવમાં રહેલા શ્રી તીર્થંકરદેવથી થાય છે. અને શ્રી તીર્થંકરદેવ પણ કેવળજ્ઞાનના યોગે સ્વર્ગ, મોક્ષ અને તેનાં કારણો તથા સંસાર અને સંસારનાં કારણો જાણ્યા પછી જ ધર્મનો ઉપદેશ આપે છે, પણ તેની પૂર્વે નહિ ! વધુમાં કેવળજ્ઞાન પામેલા અને તેથી જ કૃતાર્થ થઈ ગયેલા એવા પણ તે તારક શ્રી તીર્થંકરદેવ સત્ત્વોના હિત માટે ધર્મનું કથન કરે છે. આવી અપૂર્વ હિતભાવનાના સ્વામી શ્રી તીર્થંકરદેવ પણ કેવળજ્ઞાનના યોગે સ્વર્ગ, મોક્ષ અને તેનાં કારણો તથા સંસાર અને સંસારનાં કારણો જાણ્યા પછી જ ધર્મનું કથન કરે છે. આથી એ સિદ્ધ જ છે કે જે સ્વર્ગ તથા મોક્ષ અને તેનાં કારણો તથા સંસાર અને તેનાં કારણો જાણે, તે જ ધર્મનું નિરૂપણ કરી શકે !” - યદ્યપિ સ્વર્ગ છે સંસારમાં, પણ સંસારની નારકી આદિ ગતિઓ કરતાં સ્વર્ગના હેતુઓ જુદા જ છે, તો પછી મોક્ષના હેતુ તો જુદા હોય તેમાં પૂછવાનું જ શું ? દેવગતિનું આયુષ્ય બધા જ સંસારી બાંધે એમ નથી, પણ જે તેવા પરિણામને પામે તે જ બાંધે. સંસારમાંથી સારામાં સારું સ્વર્ગ પણ મેળવાય તે વાત ખરી પણ તેવું સ્વર્ગ મેળવવાનાં જે સાધનો છે તે સંસારનાં સાધનોથી જુદાં જ છે, તો પછી મોક્ષના હેતુ જુદા હોય, એમાં નવાઈ પણ શી ? આ શાસનનું અસ્તિત્વ વાસ્તવમાં મોક્ષ માટે નિયત ગણાય, નહિ કે સ્વર્ગ માટે ! સ્વર્ગાદિ આપવાનું તો સામાન્યતઃ બધાં દર્શન કહે છે, પણ આ શાસનનું ધ્યેય તો મુક્તિ છે. મોક્ષપ્રાપ્તિના વિલંબના ગાળામાં સ્વર્ગ મળે એ વાત જુદી, પણ સ્વર્ગાદિ મેળવવા પૂરતું જ આ શાસન છે એમ તો નહિ જ. જે આટલો પણ વિવેક ન કરી શકે, તે ધર્મ શી રીતે આપી શકે? સ્વર્ગ તથા અપવર્ગને તથા તેનાં કારણોને તેમજ સંસાર તથા તેનાં કારણોને તે તે રૂપે નિરૂપણ કરે, ભાગ પાડીને કહે અને હેય, શેય તથા ઉપાદેયને પરસ્પર ભેળવે નહિ, તે જ ધર્મદેશનાના અધિકારી છે. આમ કરવાથી સંસાર પ્રત્યે અરુચિ થાય, તથા સંસારના પદાર્થો પ્રત્યેની રૂચિ ઘટે, એટલે મોક્ષ પ્રત્યે આત્માની સદ્ભાવના જાગે અને તેથી મોક્ષનાં સાધનોમાં તે જોડાવા ઉદ્યમશીલ બને. મોક્ષનાં સાધન તો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્ર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy