________________
૬ઃ જૈનશાસનનું ધ્યેય સ્વર્ગ નહિ પણ મોક્ષ :
ધર્મના કથયિતા કોણ?
છઠ્ઠા “ધૂત' નામના અધ્યયનની શરૂઆત કરતાં તે અધ્યયનના પહેલા જ ઉદ્દેશાના પહેલા જ સૂત્રની શરૂઆતમાં પરમ ઉપકારી પરમાત્મા શ્રી મહાવીરદેવના પંચમ ગણધરદેવ સૂત્રકાર ભગવાન શ્રી સુધર્માસ્વામીજી મહારાજા ફરમાવે છે કે –
"ओबुज्झमाणए इह माणवेसु आघाइ से नरे ।" - આ સૂત્રવાક્યની વ્યાખ્યા કરતાં ટીકાકારમહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા પણ ફરમાવે છે કે
"स्वर्गापवर्गातत्कारणानिचतथा संसारतत्कारणानि चावबुध्यमानोऽनावरकज्ञान-सद्धावाद् 'इहे तिमर्त्यलोकेमानवेषुविषयभूतेषुधर्ममाख्यातिसनरोभवोपग्राहिकर्म-सद्भावात्मनुष्यभावव्यवस्थितः सन् धर्ममाचष्टे, न पुनर्यथा शाक्यानां कुड्यादिभ्योऽपि धर्मदेशनां प्रादुष्यन्ति, यथा वा वैशेषिकाणामुलूकभावेन पदार्थाविर्भावनम् एवमस्माकंन, कथं ? घातिकर्मक्षयेतूत्पन्ननिरावरणज्ञानो मनुष्यभावापन्न एव कृतार्थोऽपि सत्त्वहिताय सदेवमनुजायांपर्षदि कथयतीति ।।"
“આવરણ વિનાનું જે જ્ઞાન એટલે કેવલજ્ઞાન તેના સભાવથી સ્વર્ગ, અપવર્ગ અને તેનાં કારણોને તથા સંસાર અને સંસારનાં કારણોને જાણતા શ્રી તીર્થંકરદેવ ભવોપગ્રાહી જે “વેદનીય, આયુ, નામ અને ગોત્ર' આ ચાર પ્રકારનાં કર્મો તેના સર્ભાવથી મનુષ્યભવમાં રહીને આ મનુષ્યલોકમાં મનુષ્યોને ઉદ્દેશીને ધર્મનું નિરૂપણ કરે છે. પરંતુ જે રીતે શાકોની ધર્મદેશનાઓ કુડ્યાદિકમાંથી પ્રગટ થાય છે અથવા વેશેષિકોનું પદાર્થવિષ્કરણ એટલે પ્રકટીકરણ ઉલૂકભાવે કરીને થાય છે, તેમ આપણામાં નથી. કારણ - ઘાતી કર્મોના ક્ષયથી આવરણ વિનાનું જ્ઞાન જેમને ઉત્પન્ન થયું છે એવા ભગવાન શ્રી જિનેશ્વરદેવ કૃતાર્થ હોવા છતાં પણ મનુષ્યભાવમાં રહીને જ પ્રાણીઓના હિત માટે દેવતા અને મનુષ્યોવાળી પરિષદમાં
ધર્મનું કથન કરે છે.”
આથી સ્પષ્ટ છે કે શ્રી જિનેશ્વરદેવના શાસનનું પ્રકટીકરણ જેમ શાક્યોનું કુડ્યાદિમાંથી એટલે કે દીવાલ વગેરેમાંથી પ્રગટ થતા અવાજોમાંથી થાય છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org