SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૬: જૈનશાસનનું ધ્યેય સ્વર્ગ નહિ પણ મોક્ષઃ | 56/ • ધર્મના કથયિતા કોણ ? • “હું, અમે ને અમારું' - એ છોડો ! • શ્રી કુમારપાળ મહારાજાની ગુરુભક્તિનો • જૈનશાસનનું ધ્યેય સ્વર્ગ નહિ પણ મુક્તિ : એક મનનીય અનુપમ પ્રસંગ : • ધર્મનો પ્રભાવ તો અનાર્ય દેશના લોકોને પણ • કંકણનો કર્કશ અવાજ ! આંજી શકે ! • મંત્રી મુદ્રા શાના યોગે ? વિષયઃ ધર્મ શા માટે? ધ્યેયની શુદ્ધિ. સંસારના તેમજ મોક્ષના કારર્ણા જુદાં. છઠ્ઠા ધૂતાધ્યયનની શરૂઆત કરતાં પહેલાં, પહેલા જ ઉદ્દેશાના પહેલા જ સૂત્રમાં ગણધર ભગવંતે ધર્મ શા માટે કરવો ? – તે જણાવ્યું છે. લક્ષ્યશુદ્ધિ વિના પ્રગતિ શક્ય નથી માટે, જિનશાસનમાં છોડવાની વાત પછી, પહેલાં નિરૂપણ કોનું સાચું છે ? – એ પરખવાની વાત આવે છે. સંસારનાં કારણોના આસેવનથી કોઈક આત્માને એની વિશિષ્ટ લાયકાતને યોગે મોક્ષ મળે તેમ બને પણ એથી એને મોક્ષનાં કારણ તો હરગિજ ન કહેવાય. આ જ મહત્ત્વપૂર્ણ મુદ્દાને સમજાવવા આખું વ્યાખ્યાન રોકડ્યું છે અલગ અલગ યુક્તિઓથી આ વાત સમજાવી છે. એને પુષ્ટ કરવા માટે શ્રી કુમારપાળ મહારાજાનો આગમ અને ગુરુની ભક્તિનો પ્રસંગ, નમી રાજર્ષિનો કંકણના નિમિત્તે વેરાગ્યનો પ્રસંગ અને વસ્તુપાળ મંત્રીએ રાજાના મામાનાં આંગળાં કપાવ્યાનો પ્રસંગ અત્રે ખૂબ જ સારી રીતે રજૂ કર્યો છે. મુલાકાત • દુનિયાની વસ્તુ પણ દુનિયાથી તરવાના ઉપયોગમાં કદાચ આવી જાય, તો પણ એ ડુબાવનારી ચીજને તારનારી ન જ કહેવાય ! • માત્ર દર્શન, માત્ર જ્ઞાન, કે માત્ર ચારિત્ર હોવા છતાં તે તો ઘણાને ડુબાવનારાં થયા, માટે મુક્તિનાં કારણોમાં “સમ્યફ’ શબ્દ યોજાયેલો જ છે. 0 તાકાત ન હોય તો તથાવિધ અમલ ન થાય, પણ ધર્મને અધર્મ તથા અધર્મને ધર્મ તો ન જ કહેવાય. 0 શાસનમાં રહેનારે “હું, અમે, અને અમારું' એ છોડવું જ પડશે. દાન એ ધર્મ' - એ ભાવના હશે તો થોડામાંથી થોડું પણ દાન દેવાશે : “લક્ષ્મી એ ધર્મ' - એ ભાવના હશે તો થોડું પણ દાન દેવાનું હશે તેય અટકી જશે ! જનશાસનમાં સ્વર્ગ છે, જૈનશાસનવાળા માટે સ્વર્ગના દરવાજા ખુલ્લા છે. અનેક સ્વર્ગે ગયા, જાય છે અને જશે, પણ બેય સ્વર્ગ નથી. જૈનશાસનનું ધ્યેય તો મુક્તિ જ છે ! જેમાં પૌગલિક ભાવનાનો અંશ પણ નથી તે મુક્તિ એ જ ધ્યેય ! • ધર્મની છાયા અનાર્ય દેશથી આવેલા ઉપર પણ પડે, તો આર્ય દેશમાં જન્મેલા ઉપર કેમ ન પડે? પણ ધર્મી ધર્મી રહે તો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy