________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
શ્રી વાગ્ભટ મંત્રીશ્વરે શ્રી સિદ્ધગિરિજી ઉપરના જીર્ણ મંદિરનો ઉદ્ધાર કરાવ્યો : એ મંદિર તૈયા૨ થયાના ખબર આપવા આવનારને સોનાની બત્રીસ જીભ ઇનામમાં આપી ! આ પછી બીજા પુરુષે કોઈપણ કારણથી તે મંદિર તૂટી ગયાની ખબર આપી. એ ખબર આપનારને વધામણામાં મંત્રીશ્વરે ચોસઠ સોનાની જીભ આપી. આ જોઈને પાસેનાઓએ પૂછ્યું કે આમ કેમ ?' આ પ્રશ્નના ઉત્તરમાં મંત્રીશ્વરે કહ્યું કે ‘આ પ્રાસાદ અમારા જીવતાં તૂટી ગયો એ સારું થયું, કારણ કે ફરીને પણ બીજી વાર ઉદ્ધારનું શુભ કાર્ય થશે.’ આ પછી મંત્રીશ્વરે સૂત્રધારોને પૂછ્યું કે ‘શા કારણે આ મંદિર તૂટી ગયું ?' આ પ્રશ્નના ઉત્તરમાં સૂત્રધારોએ વિનંતિ કરી કે ‘ભમતીવાળા આ પ્રાસાદમાં પવન પેઠો છે તે નીકળતો નથી : એ જ આ મંદિર તૂટવાનું કારણ છે, પણ બીજું કોઈ કારણ નથી અને ભમતીહીન પ્રાસાદ બનાવવામાં આવે તો કરાવનારને સંતાનનો અભાવ થાય.' -આ સાંભળીને મંત્રીશ્વરે કહ્યું કે
૭૨
“સંતાન: સુસ્થિર, વત્સ્ય, સ ચ ભાવિ મતે મને ! साम्प्रतं धर्मसन्तान, एवास्तु मम वास्तव: ।।"
“સંતાન કોને સુસ્થિર થયેલ છે ? અને તે તો ભવે ભવે થશે, માટે હાલ તો મારે માટે આ વાસ્તવિક ધર્મસંતાન (પ્રાસાદ) જ હો.”
આ રીતના આ શાસનમાં તીર્થાધિરાજ શ્રી સિદ્ધગિરિજી તીર્થની રક્ષા માટે કરવામાં આવતા ફાળા માટે કહેવાનું હોય ? અમદાવાદના શ્રીમંતો પોતાનું કામકાજ છોડી, એટલો પણ ત્યાગ કરી અહીં આવ્યા છે. હજારથી ઓછી રકમ હમણાં લેવી હોત, તો તો અમદાવાદથી બહાર નીકળત જ નહિ. બીજાં શહેરોને પણ પુણ્યમાં હિસ્સો આપવાનો એમનો ઇરાદો છે. અત્રેની યંગમેન્સ જૈન સોસાયટીએ શરૂઆતમાં જ આ મંગળ કાર્ય ઉઠાવ્યું છે અને પોતાથી બનતો ફાળો કરવા આરંભ્યું છે. આમાં દરેકે પોતાથી બનતી સહાય કરવી જોઈએ. શ્રી શત્રુંજય એટલે જ્યાં જનારો નાસ્તિક પણ પ્રાયઃ આસ્તિક બની જાય ! એની સેવામાં ન દેવાય તેટલું ઓછું. આ જ રીતે અનેક તીર્થોના ઉદ્ધાર આદિના કાર્યમાં પાછી પાની ન જ કરવી જોઈએ.
812
અસ્તુ. હવે સૂત્રકાર મહર્ષિ અને ટીકાકાર મહર્ષિ આ સૂત્ર દ્વારા શું શું ફરમાવે છે, તે સઘળું હવે પછી -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org