SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ at – – ૫ : ઉત્તમ આલંબનની આવશ્યકતા - 55 - ૭૧ પણ એ જ કહ્યું કે “શ્રી જિનેશ્વરદેવે કહ્યું તે જ સાચું.'-એમ માનો, એમાં જ કલ્યાણ છે. અને સૂચવ્યું કે “અમારા જેવાને પણ એમની પાસે શિર ઝુકાવવાનું તો તમારી શી હાલત ? ત્રણ પદ ઉપરથી દ્વાદશાંગી બનાવવા છતાં એમના જ્ઞાન પાસે અમારાથી માથું ઊંચું કરી શકાય તેમ નથી. અને ત્યાં જે કોઈ માથું ઊંચું કરશે તે હારી જશે !” શ્રી ગણધર ભગવાન ચાર જ્ઞાનના ધણી છતાં પ્રભુને શરણરૂપ માનતા. આગમમાં તેઓશ્રીએ - “અમે કહીએ છીએ – એમ ન કહ્યું, પણ ભગવાને કહ્યું એમ કહ્યું. આનું નામ દર્શન. જ્ઞાન અને ચારિત્ર તથા તત્ત્વત્રયી આના ઉપર સ્થિર છે. જીવાદિ તત્ત્વોની સ્થિરતા આનાથી છે. દર્શન ગયું તો બધું ગયું સમજવું!મૂળ સુધાર તે આ. જેમ દુનિયાના પદાર્થને ઇચ્છનારો દુનિયાના અનુભવીની ગુલામી કરે છે, તેમ સુખના અર્થીએ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાની ગુલામી કરવી જોઈએ. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા જેને ગમી તેનું દાન, શીલ, તપ, ભાવ બધું જ ઉત્તમ. એને દાનમાં મૂંઝવણ ન થાય : દાન દેવા માટે તૈયાર થાય કે રૂવાંટી ઊભી થાય. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ગમી એટલે એને બીજું બધું અસાર લાગે. એને તો પ્રભુઆજ્ઞા મુજબ અમલ, એ જ સારરૂપ લાગે. આજ્ઞાનો અમલ કરવામાં ચૂક્યા તેટલું ગયું, એમ માને. એ માને કે કદાચ જાતે ન થાય પણ સામો ઝોળી લઈને દાન કરાવવા આવે ત્યારે તો બને તેટલું દેવું જ જોઈએ : માટે તે ઉલ્લાસથી આપે. એનાથી દેવાય તેટલું દાન દે, છતાં જે આપે તે ઓછું માને. સંપૂર્ણ ન આપી શકવા માટે થવું જોઈએ કે પૂરી મમતા નથી છૂટતી : હજી પ્રભુની આજ્ઞાના આરાધન ઉપર પૂરી મક્કમતા આવી નથી. એક વાર આપ્યા પછી પણ ભાવના થાય તો એ ફરીથી આપે. એમાં બીજાના વાદ ન હોય. તીર્થસેવામાં અપાય તેટલું તીર્થના સેવકે આપવું જ જોઈએ. દાનની ઉદારતા, સદાચાર અને સાચી સહિષ્ણુતા આજે નથી આવતી, એ પ્રતાપ કોનો એ ખૂબ વિચારો ! જ્યાં આજ્ઞા પૂરેપૂરી હૈયામાં જચતી કે છ ખંડને લાત મારીને પણ ચાલી નીકળતું ! તમારાથી એ ન બનતું હોય અને એમની અપેક્ષાની આ કંગાલિયતમાં પણ શેઠાઈ માણવાનુંય ન છૂટતું હોય, તો મૂચ્છ ઉતારીને દાન દેતાં તો શીખો ! થોડું પણ હૈયાને ઠેકાણે રાખીને શુભભાવપૂર્વક આપવાથી કલ્યાણ થાય છે. સાંસારિક વ્યવહારોમાં જે ઉદારતા છે, તેય ધર્મવ્યવહારોમાં ન આવે તો પછી શું સમજવું ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy