________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો મ
પ્રભુઆજ્ઞાને અંગે જ ને ? પ્રભુઆજ્ઞાને અનુસરતું જે કાંઈ શક્તિ મુજબ દઈએ છીએ તે માટેને ? હવે જો અમે પ્રભુઆજ્ઞાને વેગળી મૂકીએ, તો પછી તમારે શરમ કે મર્યાદા શા માટે રાખવી અને બહુમાન શા માટે કરવું ? દુનિયામાં મડદાને કોઈ સંઘરે છે ? અહીં શાસ્ત્રાનુસાર વર્તવાનો પ્રયાસ અને પ્રભુઆજ્ઞાનું જ કથન એ ચેતન છે ; એ વિનાની સાધુતા કે શ્રાવકતા મડદા જેવી છે. પણ આજે તો આમાં - આગમમાં ફેરફાર કરવાની વૃત્તિ જાગી છે. અયોગ્ય તો પોતે ડૂબે, પરંતુ આવા તો પોતાની સાથે બીજાને પણ ડુબાડે.
૭૦
:
હું કહું છું કે સંસારમાં એક પણ ચીજ એવી હોય તો બતાવો, કે જેનાથી કાયમનું અને દુ:ખના અંશ વિનાનું સંપૂર્ણ સુખ મળે : એવું હોય તો અહીં પણ મોક્ષ મનાય. પુદ્દગલાનંદી જેવાં જેમાં સુખ માને છે તે બંગલાબગીચા, રાતાંપીળાં કે મિષ્ટાન વગેરે અનાદિ કાળથી આ સંસારમાં છે, છતાં એનાથી કોઈને તથાપ્રકારનું સંપૂર્ણ સુખ મળ્યું હોય એમ સાંભળ્યું છે ? નહિ જ, પછી સાચા સુખની અભિલાષા છતાં એ વસ્તુઓ પાછળ જ દોડધામ શા માટે થઈ રહી છે ? એમાં સુખ છે, એમ નથી તો દલીલથી પુરવાર થતું કે નથી અનુભવથી સિદ્ધ ! સમજો કે જે સુખ ઇચ્છો છો તે અહીં નથી પણ મોક્ષમાં છે. અને અનંત જ્ઞાનીઓએ એ જોયું છે, અનુભવ્યું છે અને એ વાત યુક્તિસિદ્ધ પણ છે. બંગલાબગીચાના સુખની પાછળ તો લાહ્ય મોટી છે. એ તો બળતા મકાનમાં બેસીને સાહ્યબી ભોગવવાની છે. ચોમેર સળગતા મકાનમાં શાંતિ ક્યાંથી ભોગવાય ? દર્શનની દૃઢતા એ જ મૂળમાં સુધારો !
સભા : મૂળથી એકડે એકથી સુધારો !
અહીં પણ મૂળમાં પેઠેલા સડાની વાત ચાલે છે.
જ્ઞાન તથા ક્રિયામાં કદાચ ઓછપ હોય તો ચાલે, પણ દર્શનમાં તો ઓછપ ન જ આવવા દેવી જોઈએ. આજની લડત દર્શન ઉપર છે, દર્શનની વિઘાતક છે. દર્શન જેટલું શિથિલ થશે, તેટલું જૈનશાસન પણ ઊથલપાથલ થશે. જૈનશાસન દર્શન ઉપર ટકેલું છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ પદાર્થોનું ધ્યાન ત્યાં છે. દુનિયાએ નહિ જોયેલ અને નહિ અનુભવેલ જીવોનું સ્વરૂપ, જીવોની વિવિધ ઉત્પત્તિ, વિવિધ જીવોની નાનાવિધ દશાનું વર્ણન આ જ શાસ્ત્રમાં છે. કોઈ કહે કે ‘બતાવો આંખે.’ પણ એમાં કેટલુંય તો એવું છે કે બતાવાય તેમ નથી. ઘણી વસ્તુ એવી છે કે, જો જિનેશ્વ૨દેવને ૫૨મ જ્ઞાની અને તારક માનીએ તો જ જચે. શ્રી ગણધર મહારાજે
Jain Education International
810
For Private & Personal Use Only
www.jainelibrary.org