________________
809
– ૫ : ઉત્તમ આલંબનની આવશ્યકતા - 55 –
–
૬૯
ખરેખર, આ સંસારરૂપ કારાગારથી આત્માને બચાવી, સંસારથી અલગ કરી, સ્વર્ગ તથા અપવર્ગનાં કારણોમાં યોજી, પરિણામે મોક્ષે પહોંચાડવો, એ જ એક ધર્મદેશનાનો હેતુ છે : કારણ કે સંસાર દુઃખમય, દુઃખફલક અને દુઃખની પરંપરાવાળો છે. જો કે સંસારના જીવો દુઃખને ઇચ્છતા નથી પણ વાસ્તવિક સુખની તથા તેના ઉપાયની તેઓને ખબર નથી, એ જ કારણે બિચારાઓ જ્યાં ને ત્યાં ફાંફાં મારે છે : આથી તેઓને સુખનાં કારણોમાં જોડવા, એ જ સાચો ઉપકાર છે. આ સંસારવર્તી સૌ કોઈ જીવ સુખ કેવું ઇચ્છે છે ? - આ પ્રશ્નના ઉત્તરમાં કહેવું જ પડશે કે અધૂરું નહિ પણ પૂરું, દુઃખના અંશ વિનાનું અને કાયમનું! દુઃખમિશ્રિત અને આવીને ચાલ્યું જાય તેવું સુખ કોઈ જ ઇચ્છતું નથી. દુનિયાનો કોઈ પણ અનુભવી દુનિયાની એક પણ ચીજમાં આવું સુખ બતાવી શકે તેમ નથી : અને પ્રત્યેક જીવની ભાવના તો એ જ છે કે સુખ એવું મળે. અનંત જ્ઞાનીઓની તો દુનિયાનાં તમામ પ્રાણીઓ પ્રત્યે આ ઉઘાડી ચેતવણી છે. સંસારમાં તેવું સુખ નથી જ ! એ તારકોએ તો પરમજ્ઞાન પામીને જોયું કે દુનિયાના એક પણ પદાર્થમાં તેનું સુખ આપવાની તાકાત છે જ નહિ : અને માટે તો કહ્યું કે એવા પદાર્થોને છોડો ! ક્ષણ સુખ અને ઘડી પછી બૂમરાણ, ક્ષણમાં હસાવે અને તરત રોવડાવે, ક્ષણમાં કુદાવે ને ક્ષણમાં હેઠો પાડે, આવા પદાર્થોના સંસર્ગમાં મૂર્ધા સિવાય બીજું કોણ સુખ કહે? આજે ગાદી અને કાલે ધખો, આજે માનપાન અને કાલે હુરરે, - એવી વસ્તુમાં મૂંઝાનાર જેવો દુનિયામાં બીજો મૂર્ણો કોણ? તમે જાતે જ વિચારી જુઓ કે દુનિયાની કદાચ ક્ષણિક સુખ આપનારી, છતાંય અંતે દુઃખમાં ડુબાવનારી વસ્તુઓમાં સુખ કોણ કહે ? તમે એવી કોઈ ચીજ હોય તો બતાવો, કે જેથી એવું સુખ મળે. એમ થાય તો તરત આ બધી વાતો અમે બંધ કરીએ, અને એમ ન હોય તો એ બધી વાતો તમે બંધ કરો ! સભા : સંસારના પદાર્થોથી સુખ છે એમ આપ કહો તોય એવી વાત હવે તો અમે ન
સાંભળીએ ! આ ગુણ આવે તો તો ઉદ્ધાર છે. તમારો કે અમારો જો અનંતજ્ઞાની પ્રત્યેથી વિશ્વાસ ગયો , તો ચોરાશીના ચકરાવામાં વમળે ચડ્યા જ સમજજો ! હું હોઉં કે બીજા હોય, પણ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને અનુસરતું હોય તો જ સાંભળવાનું, નહિ તો ભરસભામાં - “અમે આવું સંસારપોષક સાંભળવા આવ્યા નથી' – એમ કહીને ઊઠી જ જવાનુંઅહીં મુનિ પાસે શરમ, મર્યાદા, બહુમાન, જે રાખો તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org