________________
૮૭
–
આચાશંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
વિરાધના ન થાય, તો પણ આરાધનાનું શું? આરાધના તો વિરતિપણામાં છે ! ધૂનન કરાવવું છે માટે સૂત્રકાર આ બધું સ્પષ્ટતાથી કહે છે : છોડવાનું કહેતાં પહેલાં કહેનારને ઓળખાવે છે. નિરૂપણ કોણ સાચું કરે તે બતાવે છે. સ્વર્ગ તથા અપવર્ગ તેમજ તેનાં કારણો અને સંસાર તથા તેનાં કારણોને ભેળવે નહિ, ભિન્ન સમજે અને તે તે રૂપે જાણે, તે જ ધર્મનું સાચું નિરૂપણ કરે.
મોક્ષ માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર, - એ ત્રણ કારણ છે. ચોથું એક પણ નહિ ! ચોથામાં સાધનબુદ્ધિ આવે તો સમ્યકત્વ રહે ? કોઈ કહે કે જે પદાર્થોનો ઉપયોગ કરવો તેને સાધન ન માનવાં ? ના, એ જ ખૂબી છે. શુદ્ધ ધ્યેય અને યથાસ્થિત નેમને લઈને તે પદાર્થોને સાધન બનાવાય છે, પણ એ પોતે સાધન નથી. ઝેર એ તો ઝેર છે, પણ એ અમૃત થાય છે એ કારીગીરી વેદની છે, પણ ઝેર તો ઝેર જ. ઝેર વૈદના હાથમાં આવે તો તે તેને અમૃત બનાવે. દરદી ઝેર પણ ખાય, પણ તે કોના હાથનું ? વૈદના હાથનું. વૈદ પણ કહે કે બીજાના એટલે જેના તેના હાથે ખાતો નહિ. એ રીતે જેની પાસે રત્નત્રયી હોય તે દુનિયાના પદાર્થનો ઉપયોગ કરે, તોપણ તેને રત્નત્રયીને અનુકૂળ બનાવીને, એટલે વાંધો ન આવે. આ ત્રણને છોડી ઉપયોગમાં આવે તેને સાધન માનવાની મૂર્ખાઈ ન કરવી. એમ કહ્યું તો ભાંગરો વટાઈ જશે. શાસ્ત્રકાર કહે છે કે “ગાંડા! અહીં તો સંસારપિપાસુઓ ચોંટેલા જ છે, છોડે તેવા નથી, એમાં ક્યાં ચોંટાડે છે ?” હૃદયમાં ન ઊતરે તેવી અનુપમ ચીજ તો આ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર છે. “ફવિ નમુવારથી કલ્યાણ થાય, માટે બીજું શું કામ કરવું ? પણ બીજું કરે તેનું જ એ “વોવિ નમુવારો' કલ્યાણ કરે ! જો દુનિયાદારીના પદાર્થો પણ અમુક અવસ્થામાં જરૂરના હોય, તો પણ તે ક્યારે છૂટે એવી ભાવના તો હોવી જ જોઈએ. નહિ તો એ બધું ક્યારે આવે એવી ભાવના રાખે, કેમ કે એને મોક્ષનાં સાધન માન્યાં ! ધર્મનો પ્રભાવ તો અનાર્ય દેશના લોકોને પણ આંજી શકે !
શ્રાવકના મનોરથો શા ? તમે શું કરો છો તે વાત જુદી, જે બધું કરાય છે તે જાણીએ છીએ, પણ કરવું શું જોઈએ તે નક્કી કરો. આ નિર્ણયમાં એકવાક્યતા આવે તો પછી વાંધો ન રહે. જેવું સાધુ અહીં બોલે તેવું ગૃહસ્થ બજારમાં બોલે, પછી વાંધો ક્યાં ? ઇતર પણ માને કે આ તો બધે એક જ વાત છે, એટલે ત્રીજો લટપટ ન કરી શકે. ઇતર કહે કે તમારા સાધુ તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org