________________
827
૬ : જૈનશાસનનું ધ્યેય સ્વર્ગ નહિ પણ મોક્ષ :
-
56
છોડીને જના૨ા : ગૃહસ્થ પણ કહે કે સાચી વાત, અમારી પણ એ જ ભાવના છે ! ઇતર પણ કહે કે એમને સતાવાય તેમ નથી. પણ આજ તો દશા જ જુદી છે. વિરોધીની વાત તો જુદી, પણ કોઈ કોઈ ધર્મી ગણાતા પણ કહે કે ‘શું કરીએ ? સાધુ હઠીલા છે, માનતા જ નથી, રોજ ત્યાગની વાત કરે છે, ઘણું કહીએ છીએ પણ માનતા નથી, સમય ઓળખતા નથી !' આથી ઇતર જાણે કે ‘અહીં પોલ છે. જન્મથી માનનારમાં પણ પોલ છે.' આથી નવા પામતા હોય તે પણ ન પામે. શ્રાવકો એવા હતા કે પોતાની પાસે આવના૨ને સીધે માર્ગે લાવતા, કદી ન ફાવે તો પોતાના ગુરુ પાસે આવવાનું કહેતા, પણ કદી ઢીલી દોરી ન મૂકતા. માખણદાસપણું નહોતું. ખોટી ‘હાજી’ ભણવાનું ભૂલી જાઓ. ધર્મની વાત આવે ત્યાં તો શ્રી જિનેશ્વરદેવે કહ્યું તે જ ધર્મ હોય. વેપારી સાથે પણ એ જ વાત કે ‘ભાઈ ! વેપારની વાત કર : કામથી કામ : ધર્મની બાબતમાં સમજે નહિ તો એ વાત રહેવા દે !' ધર્મ ખાતર સંબંધ તૂટે એની ૫૨વા ન હોય.
62
શ્રાવકને સામાયિક કરતાં શરમ આવે ? એવા પણ શ્રાવકો છે કે જે ગમે ત્યાં આવશ્યક ન ચૂકે, પણ તેવા થોડા ! બાકી તો પોઝીશનની વાત ! નિયમ રાખે તો પણ ઘર માટે, બહાર ખુલ્લા ! બધા જો બહાર પણ ક્રિયા કરે તો પરિણામ કેવું આવે ? સારો ગૃહસ્થ પણ ક્રિયા કરે તો તે જોઈને ઇતર પણ કહે કે ‘એ તો એ જ.’ રાજ્યમાં નોકરો પણ પૂર્વે આવા હતા.
Jain Education International
એક સાહેબના હાથ નીચે એક વૃદ્ધ જૈન નોકર હતા. ધર્માત્મા હતા. સાંજે પાંચ વાગે વાળુ ક૨વા જતા. સાહેબ પણ જાણતા એટલે જવા દેતા. નવો સાહેબ આવ્યો એને ખબર નહિ . તેરસની સાંજ હતી. પાંચ વાગે ઊઠ્યા. સાહેબે રોક્યારોકાયા, પણ રાત્રે ખાધું નહિ. બીજે દિવસે ચૌદશ હતી એટલે ઉપવાસ હતો. એટલે તે દિવસે પાંચ વાગે ન ઊઠ્યા ત્યારે સાહેબે કહ્યું કે ‘કાલે તો પાંચ વાગે જમવા જતા હતા, આજ ટાઇમ નથી થતો ?’ તેમણે કહ્યું કે ‘આજ તો ઉપવાસ છે.' સાહેબે જાણ્યું કે ગઈ કાલે પણ ખાધું નહોતું અને ઉપર આજે ઉપવાસ કર્યો ! કે તરત સાહેબે કહી દીધું કે ‘તમારે વખત થાય એટલે ચાલ્યા જવું, પૂછવું નહિ. મારી ભૂલ થઈ કે તમને કાલે રોક્યા.' અમલદારો પણ સમજે. આગલી સાંજે જમ્યા હોત તો આ પરિણામ આવત ? એનો અર્થ તો એ થાત કે વહેલા જવાનો પ્રપંચ છે. અમદાવાદના મોહનભાઈ લલ્લુભાઈની પણ એ જ
For Private & Personal Use Only
www.jainelibrary.org