________________
૮૮
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
- -
828
ખ્યાતિ હતી કે એમની ક્રિયાના નિયત વખતે એમને અમલદાર પણ ન બોલાવે. ધર્મની છાયા અનાર્ય દેશથી આવેલા ઉપર પણ પડે, તો આર્ય દેશમાં જન્મેલા ઉપર કેમ ન પડે ? પણ ધર્મી ધર્મી રહે તો ! માટે અહીં સૂત્રકાર મહારાજ ફરમાવી રહ્યા છે કે કેવળજ્ઞાનના યોગે સ્વર્ગ, અપવર્ગ અને તેનાં કારણ તથા સંસાર અને સંસારનાં કારણોને જાણનાર શ્રી તીર્થંકરદેવ મનુષ્યોને ઉદ્દેશીને ધર્મનું કથન કરે તે તારક કૃતાર્થ છતાં પણ ભવોપગ્રાહી કર્મોના યોગે મનુષ્યભાવમાં રહેવા છતાં જ પ્રાણીઓના હિત માટે ધર્મનું કથન કરે. એટલે આપણાથી તો એ તારકની આજ્ઞાથી એક અણુ પણ ફેરફાર ન બોલાય એ તદ્દન સ્પષ્ટ છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org