SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૭: સંસારનાં અને મોક્ષનાં કારણોનો વિવેક: 157 • ચડતાં પડાય માટે નિસરણી ભંગાય કે • કોણ કહે છે કે જમાનો નથી ફર્યો?પણ ફર્યું શું એને મજબૂત કરાવાય ? એ તો વિચારો ! • સ્વચ્છંદતાના જમાનામાં અંકશ વધારાય કે • સંતતિને કુલદીપક બનાવવી છે ? ઘટાડાય ? ‘મિથ્યાદૃષ્ટિપણું' - “દુર્લભ બોધપણું – “હાડકાંના • અંતર અવાજ કોનો પ્રમાણ? માળાપણું' - વગેરે શબ્દોના તાત્વિક અથા : • યુરોપિયનો ઝળકે ને જૈનો નહિ ? વિષય : સંસારના હેતુ અને મોક્ષના હેતુ અલગ છે. બંનેની ભેળસેળ કરાયું નહિ. સાધન પોલું ન બનાવાય. ગત પ્રવચનમાં છેડેલા વિષયની જ પુષ્ટિ માટે પ્રસ્તુત પ્રવચનમાં અનેક દાખલા અને દલીલો આપવામાં આવ્યાં છે. સાધકને કદાચ સંસારની કોઈ પણ ચીજની જરૂર પડે પણ એટલા જ માત્રથી એ ચીજ પેદા કરવા, સાચવવા, વધારવા આદિનો ઉપદેશ અપાય જ નહિ. સાધના કરતા સાધકે સ્વયં બળવાન બનવું જોઈએ પણ કયારેય સાધનને ઢીલુંપોચું ન બનાવાય. જમાનો બગડ્યો એની ના નથી. એ તો પૂર્વના મહર્ષિઓએ પણ કહ્યું જ છે કે જમાનો બગડ્યો. પણ એ વાતને આગળ કરી સાધનાને ઢીલી ન કરાય.ઊલટાની મજબૂત કરાય.ચોર વધે તેમ તાળાં વધુ મુકાય, ચોકીપહેરો વધારાય તેમ આગળ વધી અંતરનો અવાજ પણ સર્વજ્ઞનો જ મનાય, નહિ તો જેટલા આદમી તેટલા અવાજ નીકળે. આ બધી વાતોનો વિમર્શ કર્યા બાદ અંતે બાળસંસ્કરણ અંગેની કેટલીક વાતો કરી પ્રવચન પૂર્ણ કર્યું છે. મુવાક્ષાગૃત • સંસારમાં ઘણી ચીજો એવી છે, કે જે મોક્ષમાર્ગના આરાધકને સહાયક થાય છે, પણ એટલા માત્રથી એ ચીજોને મોક્ષમાર્ગના કારણરૂપ ન કહેવાય. • સાધન માટે સાધક બળવાન બને, પણ સાધક માટે સાધન ઢીલું ન બનાવાય. • લક્ષ્મીને શાસ્ત્ર સારી કહી હોત તો તો દાન એ ધર્મ જ ન રહેત. ૦ જગતને સ્વચ્છંદી બનાવવાના યત્ન ન કરાય, તેને સ્વચ્છંદી બનાવવાનું પણ ન કહેવાય અને સ્વચ્છંદને પોષણ પણ ન જ અપાય. • ખાતરીથી માનજો કે દુનિયાના પદાર્થો પાછળની દોડધામમાં સુખ નથી જ ! કાળ બગડ્યો, એ નવી વાત નથી, માટે તો સાધુપુરુષો ફરમાવે છે કે રક્ષણનાં સાધનો વધારો ! ધાર્મિક ક્રિયાકાંડમાં બહુ ચુસ્ત બનો ! • કહેનારે શ્રી જિનાગમને આધીન રહેવું જોઈએ અને સાંભળનારે શ્રી જિનાગમને અનુસરતું જ સાંભળવું જોઈએ. • અમે ગૃહસ્થાઈ માગીએ તેમાં કલ્યાણ કે તમે સાધુતા માગો તેમાં ? બેયનું જેમાં કલ્યાણ તે કામ કરવા યોગ્ય ! બેયનો જેમાં અધ:પાત તે કામ કરવા યોગ્ય નહિ. • બચ્ચાંઓને મોજમજામાં જોડવાં, હોટેલમાં, નાટકચેટક કે સિનેમામાં જતાં કરવાં, એ ઇરાદાપૂર્વક એના આત્મહિતનું ખૂન કરવા બરાબર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy