________________
૭ : સંસારનાં અને મોક્ષનાં કારણોનો વિવેક
ચડતાં પડાય માટે નિસરણી ભંગાય કે એને મજબૂત કરાવાય ?
સૂત્રકારમહર્ષિ શ્રીસુધર્માસ્વામીજી મહારાજા શ્રી આચારાંગ સૂત્રના ‘ધૂત’ નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાની શરૂઆતમાં જ ‘અનાવરક (કેવળ) જ્ઞાનના યોગે સ્વર્ગ, અપવર્ગ અને તેનાં કારણોને તથા સંસાર અને સંસારનાં કા૨ણોને જાણ્યા બાદ શ્રી તીર્થંકરદેવ આ લોકમાં મનુષ્યોને ઉદ્દેશીને ધર્મનું કથન કરે છે.' આ પ્રમાણે કહીને સમજાવે છે કે, ધર્મ કહે કોણ ? અને ધર્મના કહેનારમાં કઈ જાતની યોગ્યતા હોવી જોઈએ ? પરમ તારક અને ત્રણ ત્રણ જ્ઞાનોને સાથે લઈને આવેલા અખંડ ત્યાગની મૂર્તિ સમા શ્રી તીર્થંકરદેવ પણ કેવળજ્ઞાન થયા બાદ, એટલે કે તે જ્ઞાનના યોગે સ્વર્ગ, મોક્ષ અને તેનાં કારણોનો તથા સંસાર અને તેનાં કારણોનો સાક્ષાત્કાર થયા પછી જ ધર્મને કહે છે : આથી સ્પષ્ટ જ છે કે સ્વર્ગ, મોક્ષ અને તેનાં કારણો તથા સંસાર અને તેનાં કારણો ન જાણવામાં આવે, ત્યાં સુધી ધર્મનું પ્રતિપાદન ન થાય ! એ કારણોની ભેળસેળ પણ ન થાય, કેમ કે એ અલગ કારણો અલગ જ રહેવાં જોઈએ. સંસારમાં ઘણી ચીજો એવી છે, કે જે મોક્ષમાર્ગના આરાધકને સહાયક થાય છે, પણ એટલા માત્રથી એ ચીજોને મોક્ષમાર્ગના કારણરૂપ ન કહેવાય. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યક્ ચારિત્ર અને તેનાં સાધનો, જેમ કે શ્રી જિનમૂર્તિ, શ્રી જિનમંદિર, શ્રી જિનાગમ અને રજોહરણ આદિને જેમ મોક્ષનાં સાધન કહેવાય, તેમ દુનિયાની બીજી ચીજોને મોક્ષના સાધન તરીકે ન લેખાય : અન્યથા જો એમ બધી વસ્તુને સાધન માનીએ, તો સમજો કે રજોહરણનું સાધન ઊન, ઊનનું સાધન ઘેટાં, પછી ? પછી ક્યાં જશો ? વારુ, રજોહ૨ણ માફક ઘેટાનું પણ બહુમાન કરવું ? આજ તો એમ કહેવામાં આવે છે કે “જે ચીજ જોઈએ તેનું વિધાન કેમ ન કરાય ? જે સાધુને આહાર વિના ન ચાલે તે સાધુ રસોઈનું વિધાન કેમ ન કરે ? રસોઈ માટે પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાયની વિરાધના તથા આરંભસમારંભ પણ કરવો પડે, માટે તે કરવામાં હરકત નથી, એમ પણ સાધુએ
Jain Education International
:
For Private & Personal Use Only
www.jainelibrary.org