________________
as1 – ૭ : સંસારનાં અને મોતનાં કારણોનો વિવેક : - 57 – ૯૧ કહેવું જોઈએ ? કારણ કે તેમને આહારની જરૂર છે. એવી જ રીતે દરેક વસ્તુ !” આજના વિચિત્ર આત્માઓની આ મોટામાં મોટી દલીલ છે, પણ તેવી દલીલ કરનારાઓને ખબર જ નથી કે ઉપયોગમાં આવે છે એ વસ્તુ જુદી છે. અને સાધન એ વસ્તુ જુદી છે. જ્યાં સુધી કારણોની ભિન્નતા અને વસ્તુસ્વરૂપની ભિન્નતા નહિ સમજાય, ત્યા સુધી પ્રભુશાસનનું પરમ સત્ય નહિ પમાય ! જ્ઞાની બહુ ગંભીર હતા અને હોય જ. આ બધા વિના નહીં ચાલે એવું એ જાણતા હતા, નહોતા જાણતા એમ નહિ, પણ એ માનતા, જાણતા, જોતા અને કહેતા કે આ બધું કહેવાની જરૂર ક્યાં છે ? વગર કહ્યું દુનિયા એમાં તો રાચેલી-માચેલી જ છે, પ્રવૃત્ત જ છે, એમાં સ્વયમેવ પ્રવૃત્તિ કરી રહી છે. વળી એ ચીજ એકાંત સાધનરૂપ નથી, તેમજ મોટે ભાગે તો અનર્થની જ કરનારી છે અને વધુમાં પાપજનક પણ છે : માટે એના ઉપદેશની આવશ્યકતા જ નથી.
ગઈ કાલે આપણે જોયું કે દાનને ધર્મ કહ્યો પણ લક્ષ્મીને નહિ, શિયળને ધર્મ કહ્યો પણ શરીરને નહિ અને તપને ધર્મ કહ્યો, પણ ખાવાને નહિ ! શાસ્ત્રકાર મહર્ષિ પણ જાણે છે કે જરૂર તો છે, આ વસ્તુઓ ઉપયોગમાં આવે તો છે, કામ આના દ્વારા પણ થાય છે, પરંતુ એ વસ્તુઓને સાધન-મોક્ષના કારણરૂપ તો ન જ ગણાય. સંસાર અને મોક્ષ એ બે વસ્તુ અલગ છે, એ તો સમજો છો ને ? બેય વસ્તુ જુદી, બેયનું સ્વરૂપ જુદું, ત્યારે બેયના હેતુ એક કેમ હોય ? ન જ હોય : મોક્ષમાર્ગે ચાલનાર આત્મા દુનિયાની ચીજો દ્વારા લાભ લેવાય તો લઈ લે, છતાં એને ત્યાજ્ય તરીકે જ માનતો હોય, એટલે જ્યાં એની જરૂર ઓછી થઈ કે તરત પાછો ખસી જાય, પણ એમાં ફસાય નહિ
જે સાધન એકાંત સાધ્યની સિદ્ધિ માટે સમર્થ હોય, તેને જ સાધન કહેવાય ! એમાં જરા પણ પોલાણ ન પાલવે. જેટલો મહેલ ઊંચો તેટલી જ નિસરણી મજબૂત હોવી જોઈએ, ગમે તેવી ન ચાલે ! અને એથી કદાચ કોઈ ચડનારા પડે, પણ તેથી નિસરણી ઉઠાવાય છે ખરી ? નિસરણી તો ચડાવનારી છે, એ પાડનારી નથી, છતાં પણ ચડતાં ઘણાય પડેય છે, ચડતાં ન આવડે, જરા પ્રમાદ થાય - દૃષ્ટિ આડી પડે – પગ લપસે તો પડે પણ ખરા, પરંતુ તેથી ગુસ્સો લાવી કોઈ એ નિસરણી જ ભાંગી નાખે તો શું થાય ? તેવા વખતે તો પાસે ઊભેલોય કહે કે હવે નીચે જ ઊભા રહો. પછી તો ફરીથી નિસરણી થાય ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org