________________
૯૨
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૪ ––– – 232 સુધી બધાને નીચે ઊભા રહેવું પડે. એકના યોગે સંખ્યાબંધને ઊભા રહેવું પડે, પાછી બધાની ભાવના થાય, પોતાની ભૂલ સમજાય, નિસરણી કરવાનો મત મળે, નિસરણી તૈયાર થાય, ત્યારે જ મેડે જવાય ! ન મત મળે તો રખડી મરાય ! હાલની હાલત એ છે કે સાધક ઢીલો માટે સાધન ઢીલાં કરો : સાધન ઢીલાં થયાં એટલે સાધકો વધારે ઢીલા થાય : પછી ફરી સાધન ઢીલાં થાય ને સાધક વધારે ઢીલા થાય : આખર દશા એ જ થાય કે સાધનનો નાશ થાય અને નાશક સાધનો વધી પડે. એટલે સાધનનો પણ નાશ જ ને ? માટે જ સાધકે સાધન જેવા બનવું જોઈએ. સાધન માટે સાધક બળવાન બને, પણ સાધક માટે સાધન ઢીલું ન બનાવાય. સીડી પચાસ પગથિયાંની છે તે ચડવાની તાકાત મેળવાય, પણ એમાંથી દશ પગથિયાં કાઢી ન નખાય ! જો તેમ કરવામાં આવે તો ચડનાર અધવચ રહી જાય : રખડી જાય !
શ્રી તીર્થંકરદેવો ફરમાવે છે કે તમે ઢીલા હો અને પૂર્ણ આરાધવાની તાકાત ન હોય, તો થોડું આરાધાય તો થોડું આરાધો, પણ સાધન ઢીલું ન કરો ! બેઠાં બેઠાં પ્રતિક્રમણ કરનારો જાણે છે કે ઊભાં ઊભાં પ્રતિક્રમણ કરવું જોઈએ. એટલે એમ જ કહે કે “પામરતા છે કે બેસીને કરીએ છીએ' - તે વાત જુદી, પણ “બેઠાં બેઠાં કરવામાં વાંધો શો ?” – એમ કેમ જ કહેવાય ? જો બેઠાં બેઠાં પ્રતિક્રમણ કરવાનું કહ્યું હોત તો ઊભો કોણ થાત ? ઊભાં ઊભાં કરવાનું કહ્યું છે ત્યાં પણ ગળીઆ બળદ થઈને બેસી જવાય છે, તો બેસીને કરવાનું કહે તો ઊભા થવાનું મન પણ કોને થાય ? લક્ષ્મીને અસાર તથા ખોટી કહે તોયે છૂટતી નથી - તો પછી એને જો સારી કીધી હોત તો શી હાલત થાત ? આ તો “ખોટી ખોટી'નો સજ્જન સાધુજનોનો પોકાર ચાલુ છે માટે આટલીયે દેવાય છે ! પણ જો લક્ષ્મી સારી સાબિત થાત, તો તો કોઈ દાન જ શા માટે કરત ? કેમ કે લક્ષ્મી એ જ ધર્મ એમ થાય. આજે તો લક્ષ્મીવાન પણ ધર્મોસમાજમાં બેઠો છે, એટલે એનાથી એમ નથી કહેવાતું. એ પણ “દાન એ ધર્મ સાંભળે છે, કાંઈક સમજે છે, માટે જે કાંઈ દે છે તે દે છે. લક્ષ્મીને શાસ્ત્ર સારી કહી હોત તો તો દાન એ ધર્મ જ ન રહેત.
શ્રી તીર્થંકરદેવો નિર્મળભાવે પૂર્વાવસ્થામાં ભોગ ભોગવતા, છતાં એ એને રોગની ઉપમા આપતા હતા ! ભોગ ભોગવવા જોઈએ એમ કહ્યું હોત તો શું થાત? જેનાથી ભોગ ન છૂટે તે ભોગ ભોગવતો હોય તો તે જાણે, પણ ભોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org