________________
૩૩
૭ : સંસારનાં અને મોક્ષનાં કારણોનો વિવેક : - 57 –
૯૩
એ ધર્મ તો નહિ ? “મરજી મુજબ વર્તવું એ ધર્મ' - એમ કહ્યું હોત તો શું થાત? કહેવામાં આટલો અંકુશ ન હોત તો કોઈ ન છોડત : એવા રાચતમાચત, એવા દુર્ગાનમાં પડત, કે અંત જ ન આવત !
શ્રી જિનેશ્વરદેવનું શાસન અનુપમ છે. એ શાસનમાં આવ્યો કે એને ભોગમાં રોગની જ ભાવના થાય. ઇન્દ્રિયના વિષયોને અને એ વિષયોની સામગ્રીને છોડવાની ઇચ્છા એને જાગ્રત રહે ! આથી સ્પષ્ટ છે કે સાધન તો જે હોય તે જ કહેવાય અને સાધકે મક્કમ રહેવું જોઈએ પણ સાધનને ઢીલું કરવાની વૃત્તિ ન કેળવવી જોઈએ ! સાધન ઢીલાં કર્યો તો ઉદય ન જ થઈ શકે, એ નિશ્ચિત બિના છે ; કારણ કે ઊંચું ધ્યેય ને હલકાં સાધન, એનો મેળ જ શી રીતે મળે ? શ્રી જિનમંદિર અને ઉપાશ્રય, - એ બે તો એવાં મક્કમ અને ચોખ્ખાં હોય કે જે જરા પણ નમતું ન આપે તેવાં જોઈએ. “આ બધું છોડવા યોગ્ય છે' - એવી વારંવાર ફૂંક મારનાર આ બે છે. બીજે તો
જ્યાં જાઓ ત્યાં “ખાઓ, પીઓ, મજા કરો, ચહાપાન, ભોજન લ્યો' – એમ જ સાંભળશો : જ્યારે અહીં તો “છોડો, છોડો, છોડાય તેટલું છોડો !” – એ જ સાંભળશો : આ બેમાં, બે સાધનમાં જેટલી નિર્મળતા તેટલો ઉદય : જેટલું પોલાણ તેટલો નાશ !
સભા: સીડી સુધારાય તો ખરીને ?
એમાં વાંધો નહિ ! સીડી સુધારાય પણ ભંગાય નહિ. પગથિયાં સાંકડાં હોય તો ભલે પહોળાં કરે, જરૂર જણાય તો પચાસનાં પંચોતેર કરે, બેય બાજુ કઠેડા કરે, સાંકળ રાખે, દોરડાં રાખે, બધું ભલે કરે, પણ ચડવાનું એ નક્કી ! જેને જે રીતે ચડતાં ફાવે તે રીતે ! મોટી નિસરણીમાં ઘણા બે-ત્રણ-ચાર પગથિયાં સાથે ચડે છે ને ? કોઈ પડ્યો માટે નિસરણી ન જોઈએ તે ન ચાલે ! દોરડી, કઠેડા, સાંકળ બધું કરો, ચાહે તેવો સુધારો કરો, પણ એ ચડવાની સુલભતા માટે ! જ્ઞાની ફરમાવે છે કે અહીં ને અહીં ઇન્દ્રિયોના વિષયમાં ભાનભૂલા બની ચડવાનું ન ભૂલો !ને ન ચડાય તો ચડનારની મશ્કરી ન કરો કે ચડનારની નિસરણી ન ભાંગો ! આવીને કહો કે “સાહેબ ! હજી કોઈ કોઈ પડે છે, માટે એ ન પડે એવી નિસરણી મજબૂત બનાવો !' બચ્ચાંને ચાલતાં શીખવવું હોય તો આંગળીએ શીખવાડાય, એથી ન ફાવે તો ઠેલણગાડી વગેરેનો ઉપયોગ કરાય એમાં વાંધો નહિ, પણ બચ્ચાની દયા ખાઈ તેને બેસાડી રાખવામાં આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org