SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ તો બચ્ચે ચાલતાં શીખે ? તમારો પ્રશ્ન એ તાત્પર્ય કહે છે કે સીડી સુધારવી, મજબૂત કરવી. મજબૂતાઈનાં સાધન વધારવા ! હું કહું છું કે એમાં વાંધો નથી, સંમતિ છે. સ્વચ્છંદતાના જમાનામાં અંકુશ વધારાય કે ઘટાડાય ? યોગ્ય માર્ગે પહોંચવા સાધનરૂપ ક્રિયાઓ વધારાય ખરી, પણ ઘટાડાય નહિ. જમાનો વધુ વિપરીત હોય તો આપણે આપણાં સાધન વધુ મજબૂત કરવાં, સાધન વધારવાં, પણ “આ ધર્મ વિના કેમ ન ચાલે ?' – એમ તો ન જ કહેવાય ! સમય પલટાયો એ વાત સાચી, હું પણ માનું છું કે માનો પલટાયો, પણ એ તો કહો કે હતો એથી જમાનો સારો આવ્યો કે નરસો ? ધર્મની વધુ સામગ્રીવાળો થયો કે ઓછી સામગ્રીવાળો ? આ જમાનામાં ધર્મના રસિયા વધારે છે કે અધર્મના ? આવા કાળમાં તો જો કલ્યાણની અભિલાષા હોય તો અંકુશ વધારે વધારવા જોઈએ કે નહિ ? શાસ્ત્ર વિધિ કહી કે જેમ જેમ સમય પલટાય અને સ્વચ્છંદતા વધુ આવે, તેમ તેમ અંકુશ વધારવા જોઈએ. જે ઘોડો સીધો હોય તેની લગામ સુંવાળી હોય, ચોકઠું વાગે નહિ તેવું હોય, ગોળ હોય, અને સુંવાળું હોય : અને તોફાની ઘોડા માટે ચોકઠું કાંટાવાળું હોય કે નહિ ? એ જ રીતે જે જમાનામાં મનુષ્ય વધુ સ્વચ્છંદી બને, ત્યારે અંકુશ વધારવા જોઈએ ને ? જમાનો બગડ્યો માટે અંકુશ વધારવામાં ધર્મ કે અંકુશ ઘટાડવામાં ધર્મ ? શાસ્ત્ર વિધિ બાંધી છે કે શાસ્ત્રને બાધ ન આવે તેવાં બંધનો વધારવાં. એવાં બંધનો વધારવાની છૂટ છે ! પણ જગતને સ્વચ્છંદી બનાવવાના યત્ન ન કરાય, તેને સ્વચ્છંદી બનાવવાનું પણ ન કહેવાય અને સ્વચ્છંદને પોષણ પણ ન જ અપાય. પૂર્વે આગમના સમર્થ જ્ઞાતા મહર્ષિઓ પણ શ્રી જિનાજ્ઞાને જોરથી વળગી રહેતા, તો આપણા જેવાએ તો જિનાજ્ઞાને વધારે મજબૂત રીતે વળગવાનું કે ઢીલા થવાનું ? તાકાત હોય તેટલું ગ્રહણ કરાય, પણ શ્રી જિનાજ્ઞાને જરાય શિથિલ કરાય ખરી ? વાચકપ્રવર શ્રીમદ્ યશોવિજયજી મહારાજા જેવા સમર્થ વિદ્વાન પણ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા જેવા પૂર્વપુરુષો માટે કહેતા કે “ક્યાં છે અને ક્યાં અમે ? ક્યાં એમનું જ્ઞાન અને ક્યાં અમારું ?” આજે તો એવા પણ છે કે શ્રી હરિભદ્રસૂરીશ્વરજી પણ ભૂલ્યા' - એવું કહેતાં આંચકો પણ નથી ખાતા ! વાચકપ્રવર શ્રીમદ્ યશોવિજયજી મહારાજાને તો તમે જાણો છો ને ? એવા સમર્થ પણ પૂર્વાચાર્યોની વાતમાં “ધન્ય !” – એમ કહેતા. એવાઓ જેને પૂજે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy