________________
૨૩૭
– ૭ : સંસારનાં અને મોક્ષનાં કારણોનો વિવેક : - 57 –
૯૫
તેને માટે પણ યા તલ્લા બોલતાં આપણને આંચકો ન આવે. આ સ્વછંદતાને અંકુશમાં લેવા પ્રયત્ન કરવા જોઈએ ને ?
કોઈ મારી પ્રશંસા કરે અને મારા પરમ પૂજ્ય પૂર્વજોની નિંદા કરે, ત્યારે હું કંઈ પણ ન બોલું , મારી પ્રશંસાથી લોભાઈ મારા પરમ પૂજ્ય પૂર્વજોની નિંદા સાંભળી રહું, તો મારે કહેવું જોઈએ કે તે પરમ જ્ઞાની પિતાનો હું સપૂત તો નહિ જ! એમની પ્રશંસામાં ઘણી પ્રશંસા રહેલી છે કે આપણી પ્રશંસામાં એમની ? એમનામાં આપણે કે આપણામાં એ ? મને તમે સારો કહો માટે જો આને હું દાબી દઉં, તો આ પેઢી પરનો હું લાયક મુનીમ કેમ જ કહેવાઉં ? આ શાંતિથી વિચારો ! વ્યવહારમાં તો એ નિયમ બરાબર પાળતા હો છો. પેઢીના મુનીમથી શેઠના રિવાજને કદી ભૂંસાય છે ? મુનીમે તો માલમાંથી નાણાં પેદા કરવાનાં છે. બધો વહીવટ મુનીમ પોતે કરે, ચોપડા પોતે લખે, પણ જે કંઈ કરે તે શેઠના નામે ! પોતાનાં વખાણ થતાં રહે ને માલિકનું નામ બગડે એ રીતે ગ્રાહક સાથે તે વર્તે તો પરિણામે માલિક પણ રજા આપે, એ શું તમારી જાણ બહાર છે ?
સભા : એવા તો માલ કરી જાય !
માલિક ગાફેલ હોય તો માલ કરી જાય, નહિ તો બેડી પહેરીને જાય ! શ્રી યશોવિજયજી વાચકવર વગેરે જેવા સમર્થ પુરુષો પણ પૂર્વના મહાપુરુષોના વચનના અવલંબન વગર એક કદમ પણ ભરતા નહોતા. આ મર્યાદા હતી. આ મર્યાદા પૂરી હતી, પૂરી સચવાતી હતી. આ જમાનામાં તો મર્યાદા લુપ્ત થતી જાય છે : માટે અંકુશ જેમ બને તેમ વધારવા જોઈએ ! “ઇચ્છા મુજબ વર્તવું - એમ કહેવામાં તો પોતાનો અને સામાનો અર્થાત્ - ઉભયનો નાશ છે. લગામ વિનાના તોફાની ઘોડાને બજાર વચ્ચે વહેતો મૂકે તો શું થાય ? એક તો એ ઘોડો તોફાની, વળી પાછો લગામ વિનાનો તથા એને મૂક્યો વહેતો અને તે પણ ભરબજારમાં ! કહો, પરિણામ શું આવે ? વચ્ચે જે આવે તેને માટે કે નહિ ? માટે જેટલી જેટલી ખામી વધારે, એટલા એટલા અંકુશ વધારે જોઈએ ! અંતરઅવાજ કોનો પ્રમાણ?
શ્રી સર્વજ્ઞદેવના અનુયાયી સિવાય બીજાનો અંતર અવાજ પ્રમાણરૂપ નહિ, એવો શ્રી જેનશાસનનો કાયદો છે ? કારણ કે તેઓ પોતાના અંતરની ઇચ્છા મુજબ ચાલતા જ નથી પણ જિનાજ્ઞા મુજબ જ ચાલે છે. દરેકના સ્વચ્છંદી અંતર અવાજને ધર્મ માનીએ, તો આદમી એટલા ધર્મ થઈ જાય ? અરે, કલાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org