________________
૯૬
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
એટલા ધર્મ બને ! જેવી ભાવના, જેવી દૃષ્ટિ, જેવા સંયોગો, જેવું વાતાવરણ, તેવા અને તેટલા અંતર અવાજ : તેવા ઉદ્ગાર આ રીતે ફેરવવામાં આવે તો નિયત શું રહે ? પચીસ જ્ગના કુટુંબમાં પણ દરેકની મરજી મુજબ રસોઈ ન થાય, જો એમ કરવા બેસે તો ચાલે જ નહિ. મોટા કુટુંબમાં એક રસોડે બધા જમે. સમજે કે બે ચૂલે બમણો વો. વળી બે આદમીની રસોઈમાં ત્રીજો ન સમાય અને પચીસમાં પાંચ સમાય. બધાની જુદી જુદી ઇચ્છા મુજબ ચાલવા જાય, તો ઘ૨નો કારભાર પણ ન ચાલે. બજારમાં પણ ભાવ તો જે ત્યાં હોય તે જ : સૌ જુદા જુદા ભાવ ન કહે. તમારા બજારના ભાવ પણ તાર, ટેલિફોન કે રેડિયોમાં આવે તેના પર, પણ મરજીના ભાવ તો નહિ ને ? બજારના ભાવ જો દરેકની મરજીને આધીન હોય તો વેપાર ચાલે ?
વ્યવહારમાં બધી મર્યાદા સચવાય છે અને ધર્મમાં એટલી પણ મર્યાદા ન સાચવો તો હાલત શી થાય ? મર્યાદા વિના કોઈ કામ સિદ્ધ ન થાય. જે જમાનામાં મર્યાદાનો નાશ થતો હોય તે જમાનામાં મર્યાદાને રાખવાનો પ્રયત્ન હોય કે મર્યાદાને વહેતી મૂકવાનો પ્રયત્ન હોય ? શ્રી ગણધરદેવ જેવા પણ કહેતા કે ‘ભગવાને કહ્યું, પણ ‘અમે કહ્યું’ - એમ નહિ ! છદ્મસ્થનો અંતરઅવાજ શું હોય ? છદ્મસ્થનું અંતર શું કહે ? ‘શ્રી સર્વજ્ઞદેવે તો બધું જોયું અને જાણ્યું, એટલે એ તારકે કહ્યું તે જ સાચું' એમ માનનારા જ્ઞાનીનો જે અંતરઅવાજ હોય તે સાચો જ હોય : કારણ કે તેઓ પોતાના અવાજને માનતા જ નથી, પણ શ્રી સર્વજ્ઞદેવની આજ્ઞાને જ પોતાનો અવાજ સમજે છે. માટે એ અવાજમાં વિશ્વમાત્રનું કલ્યાણ છે. એમના અંતર અવાજની આધીનતા બધાએ સ્વીકારી, એ મર્યાદા ! કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાને પણ કહેવું પડ્યું કે મર્યાદા સચવાઈ તો શાસન ચાલ્યું : ઉત્પાતિયા પાક્યા હોત તો
શાસન ન ચાલત.
શ્રી સુધર્માસ્વામીજી મહારાજા પણ કહે કે ‘ભગવાને કહ્યું:' શ્રી જંબૂસ્વામીજી મહારાજા પણ કહે ‘ભગવાન શ્રી સુધર્માસ્વામીજી પાસેથી એમ જાણ્યું કે, ભગવાને એમ કહ્યું છે.’ શ્રી પ્રભવસ્વામી મહારાજાએ પણ ફરમાવ્યું કે ‘જંબૂસ્વામી મહારાજાની પાસેથી અમે જાણ્યું કે, તેમણે સુધર્માસ્વામી પાસેથી એ જાણ્યું કે ભગવાને આમ કહ્યું છે.’ બધા માટે આ ક્રમ. ‘ભગવાન આમ કહે છે’ - એમ ગુરુસંપ્રદાયથી જાણ્યું, એમ બધા કહે : માટે તો સિદ્ધાંત નભ્યો, નહિ તો
Jain Education International
836
-
For Private & Personal Use Only
www.jainelibrary.org