________________
or – ૭ : સંસારમાં અને મોક્ષનાં કારણોનો વિવેક - 57 – ૯૭, નિગોદમાં રહેલા અનંતા જીવોને શ્રી તીર્થંકરદેવ અને કેવળજ્ઞાની સિવાય સાક્ષાત્ કોણે જોયા ? શ્રી ગણધર ભગવાને કહ્યા તે પણ જોઈને તો નહિને ? ભગવાનના કહેવાથી કહ્યાં, એ વાત બધાએ અખંડ ચાલુ રાખી તો ટકાવ થયો. નજરે બતાવો' – એવી બધાએ હઠ લીધી હોત તો શ્રી તીર્થંકરદેવથી જ એ વાત અટકત કે બીજું કાંઈ થાત ? કેટલાક પ્રશ્નો એવા પણ ગણધરદેવ શ્રી ગૌતમસ્વામીજી મહારાજાજીએ પૂક્યા છે કે ભગવાન શ્રી મહાવીરદેવને કહેવું પડ્યું કે “આ વસ્તુ શ્રદ્ધેય છે કે તું પણ અમારા જેવો થઈશ એટલે તદ્રુપે જાણી શકીશ.”
અમેરિકાનો મુસાફર અગર અમેરિકા જઈ આવેલો મુસાફર અહીંના જંગલી ભીલને એમ કહે કે “ત્યાં તો છપ્પન માળની હવેલી છે.' પેલો ભીલ કહે કે ન માનું, બહુ તો આટલી ઝૂંપડી હોય, બમણી હોય, પણ છપ્પન માળ શી રીતે હોય ? સાડા ત્રણ હાથનો આદમી છપ્પન માળની હવેલી બનાવે શી રીતે ? એટલે ઊંચે ચડાય પણ શી રીતે ?” પોતાની જેટલી અને જેવી બુદ્ધિ હોય તેમ એ માને. પેલો મુસાફર પોતાની સાથેના સાથીદારને પૂછી ખાતરી કરવાનું કહે, સાથીદારો પણ સમજાવે, તોયે એ ન માને ત્યારે શું થાય ? છેવટે પેલો મુસાફર પોતાની સાથે ખાતરી માટે અમેરિકા આવવાનું કહે તો ત્યાં જવાની પણ એ ના કહે ! એ તો કહે – “આવુંયે નહિ અને માનું પણ નહિ, અહીં નજરે દેખાડ તો માનું.” મુસાફરને પણ એની પાસે હાથ જોડવા પડે ! ન તો કહ્યું માને કે ન જોવા આવે, એને સમજાવાય પણ શી રીતે ? સાકર કેવી ? ગોળ જેવી ! ગોળ કેવો ? સાકર જેવો ! પણ સાકર કેવી ? મિઠી ! મિઠ્ઠી પણ કેવી ? કહેવું પડે કે “સાકરનો ગાંગડો મોંમાં નાખે અને લાગે એવી. એ કહે કે “મોંમાં નાખું પણ નહિ અને કેવી મિઠ્ઠી એ કહો.” તો એને કહેવું પડે કે “પાગલ થા મા ! શ્રી સર્વશદેવોએ સર્વજ્ઞાનથી જે ચીજો જોઈને અનુભવી, તે બીજા કોઈ પણ જ્ઞાનથી શી રીતે અનુભવાય ? અને એમ થાય તો સર્વજ્ઞતાની મહત્તા પણ શી ? સર્વજ્ઞ થવાની જરૂરત જ શી ? દરેક રીતે પૂર્વની સ્થિતિને અનુસર્યા વિના છૂટકો જ નહિ. બધા પોતાની મરજી મુજબ ચાલવાની વાત કરે અને તેને તેમ વર્તવાનું કહેવામાં આવે, તો પરિણામ શું આવે ? આજના અંતરઅવાજ કયા અને કેવા ? સૌના જુદા ! એ મુજબ ચાલવાનું હોય તો ધર્મપ્રાપ્તિ જ દુર્લભ થાય ને ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org