________________
૯૮
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
88
કોણ કહે છે કે જમાનો નથી ફર્યો? પણ ફર્યું શું એ તો વિચાર!
સ્વછંદપણું વધે ત્યારે તો વધારે અને મજબૂત અંકુશની જરૂર છે. દાન, શીલ, તપ, ભાવ , પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ,-જ્ઞાનીએ બતાવેલાં આ બધાં અનુષ્ઠાનોમાં કાંઈ હાનિ છે ? હોય તો બતાવો. જ્ઞાનીના માર્ગે ચાલવામાં કંઈ પણ અહિત હોય તો બતાવો !
સભા : પૈસા ઉદ્યમ કરે તો મળેને?
પૈસા ઉદ્યમથી મળે છે કે ધર્મથી ? જો ઉદ્યમથી જ મળતા હોય તો ગાડીએ બેસનારા કેટલા અને આંટા મારનારા કેટલા ? દુનિયા દુઃખી શાથી ? નિદાન તપાસો. જિંદગી થોડી બાકી છે, તેને નાહકની ભાગાભાગમાં કાં ગુમાવો છો ? આજની સ્વતંત્રતા એવી છે કે બત્તી કે પાણી કંઈ તમારા હાથમાં નથી. કોઈ બચાવે તો બચાય. રસ્તે ચાલતાં ભૂલ્યા તો મૂઆ. ચારે તરફ જોવું પડે. સડક ઉલ્લંઘવામાં કેટલી સાવચેતી રાખવી પડે ? ભાગ્યના યોગે બચાય એ વાત જુદી.
દુનિયા દુઃખી શાથી છે એ વિચારો. સુખી થવાની કામના તો સૌને છે, એ માટે પ્રયત્નો પણ રાતદિવસ ચાલુ જ છે, છતાં દુનિયાનું દુઃખ કેમ ખસતું નથી ? દરદી દરદના દુઃખને સમજે તો વૈદ કહે તેમ વર્તે. હાથ પણ બતાવે, શરીર પર ભૂંગળી પણ મૂકવા દે, છાતી ઉપર ને બરડા ઉપર ટકોરા પણ મારવા દે, દુઃખ થાય તો પણ શ્વાસ લે અને ખોંખારા કે બનાવટી ખાંસી પણ ખાય. કશાની ના ન પાડે. સમજે છે કે દરદનો પરીક્ષક છે. બતાવવાથી જ નિદાન થાય એમ સમજે છે, માટે વૈદને આધીન થાય છે. પૈસા આપે, ખુરશી આપે, માનપાન આપે, અને એ આપે તેવી કડવી દવાના શીશાના શીશા પણ પીએ, છતાં “સાહેબ-સાહેબ' કરે, એનું કારણ ? વિશ્વાસ છે કે આ દરદ મટાડે તેમ છે. ખાનગીમાં ખાનગી વાત પણ ડૉક્ટરને કહેવી પડે. માબાપને ન કહેવાય તેવી વાત પણ ડૉક્ટરને કહેવી પડે. ડૉક્ટર પણ ફરી ફરી પૂછે અને નિદાન કરે. નાડી વગેરે ચિકિત્સક જાણે, પણ એણે બહારના બીજા સંયોગો પણ જાણવા જોઈએ. દરદની ભયંકરતાનો આધાર બહારના દોષિત સંયોગો ઉપર પણ છે. ખરાબ વિચારોથી પણ શરીર બગડે છે. ચિકિત્સક કાંઈ મન:પર્યવ જ્ઞાનવાળો નથી કે એના વિચારો જાણે ! મતલબ, દરદની શારીરિક તપાસ સાથે નિદાન કરનાર વ્યક્તિએ બહારના બધા ચાલુ સંયોગો જાણવા જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org